SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાગમ – ચિંતામણિ) (૨૮૩ * ઉદ્ધત જ્ઞાન (કોઇનું દબાવ્યું દબાય નહિ એવું ઉન્નત જ્ઞાન) જેનું લક્ષણ છે. એવા શુદ્ધનયમાં રહીને અર્થાત્ શુદ્ધનયનો આશ્રય કરીને જેઓ સદાય એકાગ્રપણાનો જ અભ્યાસ કરે છે તેઓ, નિરંતર રાગાદિથી રહિત ચિત્તવાળા વર્તતા થકા, બંધરહિત એવા સમયના સારને (અર્થાત પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને ) દેખે અનુભવે છે. ૧૪૮૯. (શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૧૨૦) * * * * પ્રથમ અવસ્થામે ભવ્ય જીવોકો પંચપરમેષ્ઠી યોગ્ય હૈં, ઉનકે આત્માકા સ્તવન, ગુણોંકી સ્તુતિ, વચન ઉનકી અનેક તરકી સ્તુતિ કરની, ઔર મનસે ઉનકે નામકે અક્ષર તથા ઉના રૂપાદિક ધ્યાવને યોગ્ય હૈ, તો ભી પૂર્વોક્ત નિશ્ચયરત્નત્રયકી પ્રાતિકે સમય કેવલ જ્ઞાનાદિ અનંતગુણરૂપ પરિણત જો નિજ શદ્ધાત્મા વહી આરાધને યોગ્ય હૈ, અન્ય નહીં. તાત્પર્ય યહુ હૈ હિ ધ્યાન કરને યોગ્ય યા તો જિન આત્મા હૈ, યા પંચપરમેષ્ટી હૈ, અન્ય નહીં, પ્રથમ અવસ્થામે તો પંચપરમેષ્ઠીકા ધ્યાન કરના યોગ્ય હૈ, ઔર નિર્વિકલ્પદશા મેં નિજસ્વરૂપ હી ધ્યાવને યોગ્ય હૈ, નિજરૂપ હી ઉપાદેય હૈ. ૧૪૯૦. (શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. ૨- ગાથા-૩૧ ) * * * * ક્રિયાની ભૂમિ ઉપર મોહ મહારાજાનો નિવાસ છે, ક્રિયા અજ્ઞાન- ભાવરૂપ રાક્ષસનું નગર છે, ક્રિયા કર્મ અને શરીરી આદિ પુદગલોની મૂર્તિ છે, ક્રિયા સાક્ષાત્ માયારૂપ સાકર લપેટેલી છરી છે, ક્રિયાની જંજાળમાં આત્મા ફસાઈ ગયો છે, ક્રિયાની આડ જ્ઞાન-સૂર્યના પ્રકાશને છૂપાવી દે છે. શ્રી ગુરુ કહે છે કે ક્રિયાથી જીવ કર્મનો કર્તા થાય છે, નિશ્ચય સ્વરૂપથી જુઓ તો ક્રિયા સદૈવ દુઃખદાયક છે. ૧૪૯૧. (શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, સર્વવિશુદ્ધિ દ્વાર, પદ-૯૭) * * * * મતિજ્ઞાન અને સુખ આદિ થતી વેળા ઇન્દ્રિયો તો માત્ર બાહ્ય હેતુ છે પણ ઉપાદાનકારણ નહિ; કારણ કે ઉપાદાનકારણ તો આત્મા જ થાય છે. તેથી વાસ્તવમાં એ ઇન્દ્રિયજ્ઞાન-સુખાદિમાં ઇન્દ્રિયો તો અહેતુ બરાબર જ છે. જુઓ મૃતક અવસ્થામાં ઇન્દ્રિયો રહેવા છતાં પણ ઇન્દ્રિયજ્ઞાન કે સુખ હોતું જ નથી. ૧૪૯૨. (શ્રી રાજમલજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૩૫૧નો ભાવાર્થ ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy