SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૬) (પરમાગમ – ચિંતામણિ * જૈનશાસ્ત્રોમાં અનેક ઉપદેશ છે તેને જાણે તો ખરો પણ ગ્રહણ તો તેનું જ કરે કે જેથી પોતાનો વિકાર દૂર થાય. પોતાને જે વિકાર હોય તેનો નિષેધ કરવાવાળા ઉપદેશને ગ્રહણ કરે પણ તેને પોષવાવાળા ઉપદેશને ન ગ્રહણ કરે. એ ઉપદેશ અન્યને કાર્યકારી છે એમ જાણે. અહીં ઉદાહરણ-જેમ શાસ્ત્રમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયપોષક ઉપદેશ છે તથા કોઇ ઠેકાણે વ્યવહારપોષક ઉપદેશ છે, ત્યાં પોતાને જો વ્યવહારની અધિકતા હોય તો નિશ્ચયપોષક ઉપદેશને ગ્રહણ કરી યથાવત્ પ્રવર્તે તથા જો પોતાને નિશ્ચયની અધિકતા હોય તો વ્યવહારપોષક ઉપદેશને ગ્રહણ કરી યથાવત્ પ્રવર્તે. ૧૩૫ર. (શ્રી ટોડરમલ્લજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ. -૮ પાનું-૩OO) * * * * સપુરુષકે દ્વારા સૂત્રમ્ શિક્ષિત કિયા હુઆ પુરુષ શરીર, આહાર, સંસાર, કામ, વ ભોગાદિકમેં તત્કાલ હી વિરકત હો જાતા હૈ. પુરુષોંકી શિક્ષાકા હી લ ઐસા હોતા હૈ, શરીરાદિકમેં વૈરાગ્ય હોનેકે કારણ મોક્ષમાર્ગસે ચુત નહિ હોતા. યહુ સ્પષ્ટતયા જાનો. ૧૩પ૩. (શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૧૫ શ્લોક-૩૨ ) * સંસારમેં રહનેવાલે પ્રાણી કે જો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સંયમ, તપ વ શીલ આદિ ગુણોંકા રખનેવાલા ભી હૈ પરંતુ યદિ ઉસકે મનમેં લોભકી આગ જલ રહી હૈ તો ઉસકે પાસસે સંકલેશભાવ નહીં હટતા હૈ. નાના પ્રકારક રત્નૉકે સમૂહકો વ જિસકા પાર કરના કઠિન હૈ ઐસે જલકો ધારણ કરનેવાલે સમુદ્રકે બીચમેં રહા હુઆ દાવાનલ કયા સંતાપકો યા ક્ષોભકો નહીં કરતા હૈ? ૧૩પ૪. (શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૮૭) * * * * જેમ કોણ સમજદાર પુરુષ બળતાં ઘરમાં શયન કરવાની ઇચ્છા કરે? તેમ કયા જ્ઞાની પુરૂષ જન્મ-મરણ આદિરૂપ અગ્નિ વડે પ્રજ્વલિત લોક વિષે ચિંતા રહિત થઇને શયન કરે ? જ્ઞાનીને સંસારનો મોટો ભય છે. અસાવધાન થઇને જ્ઞાની શયન કરે નહિ. સંસાર પરિભ્રમણથી આત્માની રક્ષા કરવા માટે જ્ઞાની સદાય સાવધાન રહે છે. ૧૩૫૫. (શ્રી શીવકોટિ આચાર્ય, ભગવતી આરાધના, ગાથા-૧૪૪૫) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy