SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાગમ – ચિંતામણિ) (૧૯૧ * જેમને આત્મસ્વરૂપનું વાસ્તવિક જ્ઞાન નથી તેવા બહિરાત્માઓને સુસ અવસ્થા અને ઉન્મત્તાદિ અવસ્થા જ વિશ્વસ્વરૂપ લાગે છે, પરંતુ આત્માનુભવી અન્તરાત્માને, મિથ્યાત્વાદિ દોષો જેના ક્ષીણ થયા નથી તેવા બહિરાત્માની બધી અવસ્થાઓ વિભ્રમરૂપ લાગે છે. ૧૦૦૪. (શ્રી પૂજ્યપાદસ્વામી, સમાધિતંત્ર, ગાથા-૯૩) આત્મતત્ત્વ અને શરીરાદિક બહિરતત્ત્વોનો યથાર્થ નિશ્ચય થતાં તેના ફળસ્વરૂપ સમસ્ત મિથ્યાત્વ-રાગાદિ શુભાશુભ સંકલ્પોમાં ઇષ્ટબુદ્ધિ, આત્મબુદ્ધિ, ઉપાદેયબુદ્ધિ, હિતબુદ્ધિ, અને મમત્વભાવ છોડી, વિશુદ્ધ જ્ઞાન-દર્શન સ્વભાવમાં નિશ્ચલ રહેવું તેનું નામ સાચો અમૂઢદષ્ટિ ગુણ છે. ૧OON. (શ્રી સમંતભદ્રસ્વામી, રત્નકરંડ શ્રાવકાચાર, શ્લોક-૧૪ ભાવાર્થમાંથી) * ભ્રમજનિત દુઃખ દૂર થવાનો ઉપાય ભ્રમ દૂર કરવો એ જ છે. ભ્રમ દૂર થવાથી સમ્યક શ્રદ્ધા થાય એ જ દુ:ખ મટવાનો સાચો ઉપાય છે. ૧૦૦૬. (શ્રી ટોડરમલ્લજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ. -૩, પાનું – ૫૬) * * * * નિશ્ચયનયસે વીતરાગસ્વસંવેદનરૂપ હી જ્ઞાનકી અધ્યાત્મશાસ્ત્રોમેં પ્રસંશા કી ગઈ હૈ. ઈસલિયે સ્વસંવેદનજ્ઞાનકે વિના શાસ્ત્રોકે પઢે હુએ ભી મૂર્ખ હૈ. ઔર જો કોઈ પરમાત્મજ્ઞાનકે ઉત્પન્ન કરનેવાલા છોટે થોડે શાસ્ત્રોંકો ભી જાનકર વીતરાગસ્વસંવેદજ્ઞાનકી ભાવના કરતે હૈં વે મુક્ત હો જાતે હૈ. ઐસા હી કથન ગ્રંથોમેં હરએક જગહ કહા હૈ કિ વૈરાગ્યમેં લગે હુએ જ મોહશત્રુકો જીતનેવાલે હૈં, વે થોડે શાસ્ત્રોકો હી પઢકર સુધર જાતે હૈં, મુક્ત હો જાતે હૈ, ઔર વૈરાગ્યકે બિના સબ શાસ્ત્રોકો પઢતે હુએ ભી મુક્ત નહીં હોતે. યહ નિશ્ચય જાનના, પરંતુ હું કથન અપેક્ષાસે હૈ. ઈસ બહાનેસે શાસ્ત્ર પઢનેકા અભ્યાસ નહીં છોડના, ઔર જો વિશેષ શાસ્ત્રકે પાઠી હૈં ઉનકો દૂષણ ના દેના. ૧૦0૭. (શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિકાર-૨, ગાથા-૮૪) * જે પુરુષ, બાહ્ય-અભ્યાર પરિગ્રહ રહિત શુદ્ધ ગુરુનો સેવક છે તે, મિથ્યાદષ્ટિ જીવોનો મહાન શત્રુ છે, માટે તે મિથ્યાષ્ટિઓની નીકટમાં બલરહિત થઈ ને ન વસો. ૧OO૮. (આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંત-રત્નમાળા, શ્લોક-૪૮) Please inform us of any errors on [email protected]
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy