SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાગમ – ચિંતામણિ) (૮૫ * દરેક વસ્તુના પરિણામ બાહ્ય કારણની અપેક્ષા વિના થાય છે, ૪૫૫. (શ્રી જયધવલા, પુસ્તક-૭, પૃષ્ઠ – ૧૧૭) * વિદ્વતાનું ઉત્કૃષ્ટ ફળ આત્મધ્યાનમાં રતિ-લીનતા જાણવું જોઇએ, બધાં જ શાસ્ત્રોનું શાસ્ત્રીપણું બુદ્ધિધનના ધારક મહાન વિદ્વાનો દ્વારા સંસાર' કહેવામાં આવ્યું છે. ૪૫૬. (શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાકૃત, મોક્ષ અધિકાર, ગાથા-૪૩) * * * * જ્યારે કોઈ સાધુમહાત્માપુરુષના હૃદયમાંથી મોક્ષની પણ ઇચ્છા નાશ પામે છે ત્યારે તેને મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. આ સિદ્ધાંતવાક્ય ઉપર ધ્યાન આપીને આત્મહિતના ઈચ્છક જીવોએ બધા પદાર્થોની ઈચ્છાનો ત્યાગ કરવો જોઈએ. ૪૫૭. (શ્રીમદાચાર્ય અકલંકદેવ સ્વરૂપસંબોધન, શ્લોક-૨૧) * જઘન્યપાત્ર જો શાસ્ત્રજ્ઞાનકે ઉત્સુક હોતે હૈં વે જ્ઞાનલક્ષ્મીકો ગ્રહણ કરતે હૈં. યહી દાન વે અપની આત્માકો દેતે હૈં. અર્થાત્ શાસ્ત્ર-અભ્યાસ દ્વારા વે અપને આત્માકો જ્ઞાન દેતે હૈં. વે જઘન્યપાત્ર પ્રફુલ્લિત મન હોકર પ્રગટ રહતે હૈં. ઉનકો સમ્યગ્દર્શનકા પ્રકાશ હો જાતા હૈ જિસસે વે આનંદિત રહતે હૈં. અર્થાત જઘન્યપાત્રદાન યહ હૈ જો તત્ત્વખોજી શાસ્ત્ર દ્વારા ઐસા જ્ઞાનદાન અપનેકો કરૈ જિસસે સમ્યગ્દર્શનકા ઉદય હો જાવે. ૪૫૮. (શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૧, પાનું-૭૪) * * * * નિશ્ચય સ્વરૂપના જ્ઞાતા જૈનાચાર્ય, જેમ હિમાચલ અને વિંધ્યાચલ પર્વતમાં ભિન્નપણું છે અથવા એકક્ષેત્રમાં રહેલા જલ અને દૂધમાં ભિન્ન પ્રદેશપણું છે એવું ભિન્નપણું દ્રવ્ય અને ગુણોમાં માનતા નથી, તોપણ એકાંતથી દ્રવ્ય અને ગુણોનું એકપણું પણ માનતા નથી, અર્થાત્ જેમ દ્રવ્ય અને ગુણોમાં પ્રદેશોની અપેક્ષાથી અભિન્નપણું છે, તેમ સંજ્ઞા આદિની અપેક્ષાએ એકપણું છે એમ માનતા નથી. અર્થાત્ એકાંતથી દ્રવ્ય અને ગુણોનું ન એકપણું માને છે ન ભિન્નપણે માને છે. અપેક્ષા વિના એકત્વ, અન્યત્વ બને માનતા નથી. પરંતુ ભિન્ન ભિન્ન અપેક્ષાથી અને સ્વભાવોને માને છે. પ્રદેશોની એકતાથી એકપણું છે. સંજ્ઞાદિની અપેક્ષાએ દ્રવ્ય અને ગુણોમાં અન્યપણું છે – એમ આચાર્ય માને છે. ૪પ૯. (શ્રી જયસેનાચાર્ય, પંચાસ્તિકાય- ટીકા, ગાથા-૪૫) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy