________________
૩૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ
પાંચમું પર્વ પણ તેની વિદ્યા લઈ લીધી. એટલે તેણે પ્રાર્થના કરી કે હે પ્રભો! મને વિદ્યા કેવી રીતે સિદ્ધ થશે. ધરણેન્દ્ર કહ્યું કે સંજયંત સ્વામીની પ્રતિમા સમીપ તપ કરવાથી તેને વિદ્યા પ્રાપ્ત થશે, પરંતુ ચૈત્સાલયો અને મુનિઓનું ઉલ્લંઘન કરવાથી વિધાનો નાશ થશે; માટે તારે તેમની વંદના કરીને આગળ ગમન કરવું યોગ્ય છે. પછી ધરણેન્દ્ર સંજયંત સ્વામીને પૂછ્યું કે હે પ્રભો! વિદ્યુદંષ્ટ્ર આપના ઉપર ઉપસર્ગ કેમ કર્યો? ભગવાન સંજયંત સ્વામીએ ઉત્તર આપ્યો કે ચાર ગતિમાં પરિભ્રમણ કરતાં હું શકટ નામના ગામમાં દયાળુ, પ્રિયવાદી હિતકર નામનો એક શેઠ થયો હતો. મારો નિષ્કપટ સ્વભાવ હતો. હું સાધુસેવામાં તત્પર રહેતો. ત્યાંથી હું સમાધિમરણ કરીને કુમુદાવતી નગરીમાં ન્યાયમાર્ગી શ્રીવર્ધન નામનો રાજા થયો. તે ગામમાં એક બ્રાહ્મણ અજ્ઞાન તપ કરીને કુદેવ થયો હતો ત્યાંથી ચ્યવીને તે રાજા શ્રીવર્ધનનો વહિનશિખ નામનો પુરોહિત થયો. તે મહાદુષ્ટ, ગુપ્તપણે અકાર્ય કરતો હતો, પોતાને સત્યઘોષ કહેવરાવતો હતો, પરંતુ મહાજદૂઠો, પરદ્રવ્ય હરનાર, એવાં તેનાં કુકર્મને કોઈ જાણતું નહોતું. તે જગતમાં પોતાને સત્યવાદી કહેવરાવતો, એક નેમિદત્ત શેઠનાં રત્ન તેણે હરી લીધાં હતાં. રાણી રામદત્તાએ જુગારમાં પુરોહિતની વીંટી જીતી લીધી અને દાસીને પુરોહિતના ઘેર મોકલીને રત્ન મગાવી લીધા અને શેઠને આપી દીધાં. રાજાએ પુરોહિતને આકરી શિક્ષા કરી. તે પુરોહિત મરીને એક ભવ પછી આ વિદ્યાધરોનો અધિપતિ થયો અને રાજા મુનિવ્રત ધારણ કરીને દેવ થયો. કેટલાક ભવ પછી એ જીવ સંજયંત રૂપે જન્મ્યો અને એણે પૂર્વભવના પ્રસંગથી અમારા ઉપર ઉપસર્ગ કર્યો. આ કથા સાંભળી નાગેન્દ્ર પોતાના સ્થાને ગયો.
તે વિદ્યાધરને દઢરથ નામનો પુત્ર થયો. તેને અધર્મ, તેને અસ્થાય, તેને અથધ્વજ, તેને પદ્મનાભિ, તેને પદ્મમાલી, તેને પારથ, તેને સિંદ્યાન, તેને મૃગદ્ધર્મા, તેને મેઘાસ્ત્ર, તેને સિંહપ્રભ, તેને સિંહકતુ, તેને શશાંક, તેને ચંદ્રાવ, તેને ચન્દ્રશેખર, તેને ઇન્દ્રરથ, તેને ચન્દ્રરથ, તેને ચક્રધર્મા, તેને ચકાયુધ, તેને ચક્રધ્વજ, તેને મણિગ્રીવ, તેને મયંક, તેને મણિભાસુર, તેને મણિરથ, મધ્યાસ, તેને બિમ્બોષ્ઠ, તેને લંબિતાધર, તેને ૨ક્તોષ્ઠ, તેને હરિશ્ચન્દ્ર, તેને પૂર્ણચન્દ્ર, તેને બાલેન્દ્ર, તેને ચન્દ્રમા તેને ચૂડ, તેને વ્યોમચન્દ્ર, તેને ઉડપાનન, તેને એકચૂડ, તેને દ્વિચૂડ, તેને ત્રિચૂડ, તેને વજચૂડ, તેને ભૂરિચૂડ, તેને અર્કચૂડ તેને વહિનજટી, તેને વહિનતેજ આ પ્રમાણે અનેક રાજા થયા. તેમાં કેટલાક પુત્રને રાજ્ય આપી મુનિ થઈ મોક્ષ ગયા, કેટલાક સ્વર્ગ ગયા, કેટલાક ભોગાસક્ત થઈ વૈરાગી ન થયા તે નરક, તિર્યંચ ગતિ પામ્યા. આ પ્રમાણે વિધાધરોનો વંશ કહ્યો.
(બીજા તીર્થંકર અજિતનાથની ઉત્પત્તિ અને જીવનાદિનો પરિચય. સગર ચક્રવર્તીનું વૃત્તાન્ત.)
હવે બીજા તીર્થકર શ્રી અજિતનાથ સ્વામીના જન્મ વિષે કહે છે. જ્યારે ઋષભદેવને મુક્ત થયે પચાસ લાખ કરોડ સાગર થયા, ત્યારે ચોથો કાળ અર્થો વીતી ગયો હતો. જીવોનું આયુષ્ય,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com