________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૪ બેતાળીસમું પર્વ
પદ્મપુરાણ આ નદીનું જળ નિર્મળ છે, તેના તરંગો રમણીક છે, હંસાદિ પક્ષીઓના સમૂહથી સુંદર છે, પરંતુ જેવું તમારું ચિત્ત નિર્મળ છે તેવું નદીનું જળ નિર્મળ નથી અને તમે જેવા સઘન છો તેવું વન નથી અને તમે જેટલા ઉચ્ચ અને સ્થિર છો તેટલા ગિરિ નથી. જેમનું મન તમારા પ્રત્યે અનુરાગી થયું છે તેમનું મન બીજી જગ્યાએ જતું નથી. રાજસુતાના આ પ્રકારનાં અનેક શુભ વચનો શ્રી રામ અને લક્ષ્મણ સાંભળીને અત્યંત પ્રસન્ન થઈને તેની પ્રશંસા કરવા લાગ્યા. રામ તો રઘુવંશરૂપ આકાશમાં ચંદ્રમા સમાન ઉદ્યોત કરનાર છે. નદીના તટ પર મનોહર સ્થળ જોઈને હાથી જોડલા રથમાંથી ઊતરીને લક્ષ્મણ પ્રથમ નાના પ્રકારના સ્વાદવાળાં સુંદર મિષ્ટ ફળો લાવ્યા અને સુગંધી પુષ્પો લાવ્યા. પછી રામસહિત જળક્રીડાના અનુરાગી થયા. લક્ષ્મણનું મન ગુણોની ખાણ છે. ઇન્દ્ર, નાગેન્દ્ર, ચક્રવર્તી જેવી જળક્રીડા કરે તેવી જળક્રીડા રામ-લક્ષ્મણે કરી, જાણે કે તે નદી શ્રી રામરૂપ કામદેવને જોઈને રતિ સમાન મનોહર રૂપ ધારણ કરતી હતી. નદીની લહેરો સરસર અવાજ કરતી, શ્વેત અને શ્યામ કમળોનાં પત્રોને ભીંજવતી હતી, તેમાં ફીણના પટલ ઊઠયાં હતાં, ભ્રમર જેમાં ચૂડા સમાન હુતા, પક્ષીઓના અવાજથી જાણે કે તે વચનાલાપ કરતી હતી. રામ જળક્રીડા કરીને કમળોના વનમાં છુપાઈ ગયા, પછી તરત બહાર આવ્યા, જનકસુતા સાથે જળક્રીડા કરવા લાગ્યા એમની ચેષ્ટા જોઈને વનના તિર્યંચ પણ બીજી તરફથી મન વાળીને એકાગ્રચિત્ત થઈને એમની તરફ જોવા લાગ્યા. બન્ને વીર કઠોરતા રહિત છે, તેમની ચેષ્ટા મનોહર છે. સીતા ગીત ગાવા લાગી. ગાન અનુસાર રામચંદ્ર મૃદંગ વડે તાલ આપવા લાગ્યા. રામ જળક્રીડામાં આસક્ત છે અને લક્ષ્મણ ચારેકોર ફરે છે. તે ભાઈના ગુણોમાં આસક્ત બુદ્ધિવાળા છે. રામ પોતાની ઇચ્છા પ્રમાણે જળક્રીડા કરી સમીપના મૃગોને આનંદ ઉત્પન્ન કરી જળક્રીડાથી નિવૃત્ત થયા. ખૂબ વખાણવા જેવાં વનનાં મિષ્ટ ફળો વડે સુધા મટાડીને લતામંડપમાં બેઠા. ત્યાં સૂર્યનો તાપ લાગતો નહિ. દેવ સમાન સુંદર તે નાના પ્રકારની સુંદર કથા કરવા લાગ્યા. સીતા સહિત અત્યંત આનંદથી બેઠા. સીતાનો હાથ જટાયુના મસ્તક પર હતો. રામ લક્ષ્મણને કહે છે કે હે ભાઈ ! આ જાતજાતનાં વૃક્ષો સ્વાદિષ્ટ ફળોવાળાં છે, નદી નિર્મળ જળથી ભરેલી છે, અહીં લતાના મંડપો છે. આ દંડકગિરિ અનેક રત્નોથી પૂર્ણ છે, અહીં ક્રિીડા કરવાના અનેક સ્થળો છે માટે ગિરિ પાસે એક સુંદર નગર વસાવીએ. આ વન અત્યંત મનોહર છે, બીજાઓને માટે અગમ્ય છે. અહીંનો નિવાસ હર્ષનું કારણ છે. અહીં સ્થાન બનાવીએ અને હું ભાઈ ! તું બન્ને માતાઓને લેવા માટે જા, તે ખૂબ શોક કરે છે માટે તેમને શીધ્ર લઈ આવ. અથવા તું અહીં રહે અને સીતા તથા જટાયુ પણ અહીં રહે, હું માતાઓને લાવવા જઈશ. ત્યારે લક્ષ્મણ હાથ જોડી, નમસ્કાર કરી કહેવા લાગ્યો કે જે પ્રમાણે આપ આજ્ઞા કરશો તે પ્રમાણે કરીશ. રામ કહેવા લાગ્યા કે હવે તો ગ્રીષ્મઋતુ વીતી ગઈ અને વર્ષાઋતુ આવી છે. આ વર્ષાઋતુ અતિભયંકર છે, જેમાં સમુદ્ર સમાન ગર્જના કરતા મેઘઘટાના સમૂહ વિચરે છે, ચાલતા અંજનગિરિ સમાન લાગે છે, દશે દિશામાં કાળાશ છવાઈ ગઈ છે, વીજળી ચમકે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com