SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમસાર [ભગવાનશ્રીકુંદકુંદ जीवात् पुद्गलतोऽनंतगुणाश्चापि संप्रति समयाः। लोकाकाशे संति च परमार्थः स भवेत्कालः॥३२॥ मुख्यकालस्वरूपाख्यानमेतत् । जीवराशेः पुद्गलराशेः सकाशादनन्तगुणाः। के ते? समयाः। कालाणवः लोकाकाशप्रदेशेषु पृथक् पृथक् तिष्ठन्ति, स कालः परमार्थ इति। तथा चोक्तं प्रवचनसारे “समओ दु अप्पदेसो पदेसमेत्तस्स दव्वजादस्स। वदिवददो सो वट्टदि पदेसमागासदव्वस्स॥" अस्यापि समयशब्देन मुख्यकालाणुस्वरूपमुक्तम् । અન્વયાર્થ :-[સંપ્રતિ] હવે, વિવા] જીવથી [પુતિઃ ૨ ગ]િ તેમ જ પુદ્ગલથી પણ [અનંત ગુપ] અનંતગુણા [સમય:] સમયો છે; [૨] અને [તીવાશે સંતિ] જે (કાલાણુઓ) લોકાકાશમાં છે, [] તે [પરમાર્થ માતઃ મવેત] પરમાર્થ કાળ છે. ટીકા –આ, મુખ્ય કાળના સ્વરૂપનું કથન છે. જીવરાશિથી અને પુદ્ગલરાશિથી અનંતગુણા છે. કોણ? સમયો. કાલાણુઓ લોકાકાશના પ્રદેશોમાં પૃથક્ પૃથક્ રહેલા છે, તે કાળ પરમાર્થ છે. એવી રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૧૩૮મી ગાથા દ્વારા) કહ્યડે છે કે : [ગાથાર્થ –] કાળ તો અપ્રદેશી છે. પ્રદેશમાત્ર પુગલપરમાણુ આકાશદ્રવ્યના પ્રદેશને મંદ ગતિથી ઓળંગતો હોય ત્યારે તે વર્તે છે અર્થાત્ નિમિત્તભૂતપણે પરિણમે આમાં (આ પ્રવચનસારની ગાથામાં) પણ ‘સમય’ શબ્દથી મુખ્યકાલાણુનું સ્વરૂપ કહ્યું છે. વળી અન્યત્ર (આચાર્યવર શ્રીનેમિચંદ્રસિદ્ધાંતિદેવવિરચિત બૃહદ્રવ્યસંગ્રહમાં ૨૨મી ગાથા દ્વારા) કહ્યડે છે કે :
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy