________________
૧૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ छुहतण्हभीरुरोसो रागो मोहो चिंता जरा रुजा मिच्चू। सेदं खेद मदो रइ विम्हियणिद्दा जणुब्वेगो॥६॥
क्षुधा तृष्णा भयं रोषो रागो मोहश्चिन्ता जरा रुजा मृत्युः।
स्वेदः खेदो मदो रतिः विस्मयनिद्रे जन्मोद्वेगौ॥६॥ अष्टादशदोषस्वरूपाख्यानमेतत्।
असातावेदनीयतीव्रमंदक्लेशकरी क्षुधा। असातावेदनीयतीव्रतीव्रतरमंदमंदतरपीडया समुपजाता तृषा। इहलोकपरलोकात्राणागुप्तिमरणवेदनाकस्मिकभेदात् सप्तधा भवति भयम्। क्रोधनस्य पुंसस्तीव्रपरिणामो रोषः। रागः प्रशस्तोऽप्रशस्तश्च; दानતો તું ભવસમુદ્રની મધ્યમાં રહેલા મગરના મુખમાં છે. ૧૨.
ભય, રોષ, રાગ, ક્ષુધા, તૃષા, મદ, મોહ, ચિંતા, જન્મ ને
રતિ, રોગ, નિદ્રા, સ્વેદ, ખેદ, જરાદિ દોષ અઢાર છે. ૬.
અન્વયાર્થ –[સુધા] ક્ષુધા, [zMT] તૃષા, [] ભય, શિષ:] રોષ (ક્રોધ), [૨] રાગ, [મોદઃ] મોહ, [વિત્તા] ચિતા, [] જરા, [ઝા] રોગ, [મૃત્યુઃ] મૃત્યુ, [ā] સ્વેદ (પરસેવો), [] ખેદ, [મઃ] માદ, રિતિઃ] રતિ, [વિસ્મયન] વિસ્મય, નિદ્રા, [ગનોઠે] જન્મ અને ઉદ્દેગ (–આ અઢાર દોષ છે).
ટીકા –આ, અઢાર દોષના સ્વરૂપનું કથન છે.
(૧) અશાતાવેદનીય સંબંધી તીવ્ર અથવા મંદ ક્લેશની કરનારી તે ક્ષુધા છે (અર્થાત્ વિશિષ્ટ-ખાસ પ્રકારના–અશાતાવેદનીય કર્મના નિમિત્તે થતી જે વિશિષ્ટ શરીરઅવસ્થા તેના ઉપર લક્ષ જઈને મોહનીય કર્મના નિમિત્તે થતું જે ખાવાની ઇચ્છારૂપ દુઃખ તે ક્ષુધા છે). (૨) અશાતાવેદનીય સંબંધી તીવ્ર, તીવ્રતર (-વધારે તીવ્ર), મંદ અથવા મંદતર પીડાથી ઊપજતી તે તૃષા છે (અર્થાત્ વિશિષ્ટ અશાતાવેદનીય કર્મના નિમિત્તે થતી જે વિશિષ્ટ શરીરઅવસ્થા તેના ઉપર લક્ષ જઈને મોહનીય કર્મના નિમિત્તે થતું જે પીવાની ઇચ્છારૂપ દુ:ખ તે તૃષા છે). (૩) આ લોકનો ભય, પરલોકનો ભય, અરક્ષાભય, અગુપ્તિભય, મરણભય, વેદનાભય અને અકસ્માતભય એમ ભય સાત પ્રકારે છે. (૪) ક્રોધી પુરુષનો તીવ્ર પરિણામ તે રોષ છે. (૫) રાગ પ્રશસ્ત અને