________________
કહાનજૈનશાસ્ત્રમાળા] પરમઆલોચના અધિકાર
[ ૨ ૨ ૧ (માનિની) अथ जिनपतिमार्गालोचनाभेदजालं परिहतपरभावो भव्यलोकः समन्तात् । तदखिलमवलोक्य स्वस्वरूपं च बुद्धवा स भवति परमश्रीकामिनीकामरूपः॥१७१॥
(વસંતતિત્તા) आलोचना सततशुद्धनयात्मिका या निर्मुक्तिमार्गफलदा यमिनामजस्रम्। शुद्धात्मतत्त्वनियताचरणानुरूपा स्यात्संयतस्य मम सा किल कामधेनुः॥१७२॥
(શાનિની) शुद्धं तत्त्वं बुद्धलोकत्रयं यद् बुद्ध्वा बुद्ध्वा निर्विकल्पं मुमुक्षुः। तत्सिद्ध्यर्थं शुद्धशीलं चरित्वा
सिद्धिं यायात् सिद्धिसीमन्तिनीशः॥१७३॥ [શ્લોકાર્થ –]જે ભવ્ય લોક (ભવ્યજનસમૂહ) જિનપતિના માર્ગમાં કહેલ સમસ્ત આલોચનાની ભેદજાળને અવલોકીને તથા નિજ સ્વરૂપને જાણીને સર્વ તરફથી પરભાવને છોડે છે, તે પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત્ મુક્તિસુંદરીનો પતિ થાય છે). ૧૭૧.
[શ્લોકાર્થ –] સંયમીઓને સદા મોક્ષમાર્ગનું ફળ દેનારી તથા શુદ્ધ આત્મતત્ત્વમાં *નિયત આચરણને અનુરૂપ એવી જે નિરંતર શુદ્ધનયાત્મક આલોચના તે મને સંયમીને ખરેખર કામધેનુરૂપ હો. ૧૭૨.
[શ્લોકાર્થ :–] મુમુક્ષુ જીવ ત્રણ લોકને જાણનારા નિર્વિકલ્પ શુદ્ધ તત્ત્વને બરાબર જાણીને તેની સિદ્ધિને અર્થે શુદ્ધ શીલને (ચારિત્રને) આચરીને, સિદ્ધિરૂપી સ્ત્રીનો સ્વામી થાય છે–સિદ્ધિને પામે છે. ૧૭૩. * નિયત = નિશ્ચિત; દઢ; લીન; પરાયણ. [આચરણ શુદ્ધ આત્મતત્ત્વને આશ્રિત હોય છે.]