________________
કહાનજૈનશાસ્ત્રમાળા ] નિશ્ચયપ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૮૧ केवलज्ञानस्वभावः केवलदर्शनस्वभावः सुखमयः।
केवलशक्तिस्वभावः सोहमिति चिंतयेत् ज्ञानी॥९६॥ अनन्तचतुष्टयात्मकनिजात्मध्यानोपदेशोपन्यासोयम्।
समस्तबाह्यप्रपंचवासनाविनिर्मुक्तस्य निरवशेषेणान्तर्मुखस्य परमतत्त्वज्ञानिनो जीवस्य शिक्षा प्रोक्ता। कथंकारम् ? साद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसद्भूतव्यवहारेण, शुद्धस्पर्शरसगंधवर्णानामाधारभूतशुद्धपुद्गलपरमाणुवत्केवलज्ञानकेवलदर्शनकेवलसुखकेवलशक्तियुक्तपरमात्मा यः सोहमिति भावना कर्तव्या ज्ञानिनेति; निश्चयेन सहजज्ञानस्वरूपोहम्, सहजदर्शनस्वरूपोहम्, सहजचारित्रस्वरूपोहम्, सहजच्छिक्तिस्वरूपोहम्, इति भावना कर्तव्या તિ–
तथा चोक्तमेकत्वसप्ततौ
અન્વયાર્થ :–[વત્તજ્ઞાનસ્વભાવ ] કેવળજ્ઞાનસ્વભાવી, [વતવર્ણનસ્વમાવઃ] કેવળ દર્શનસ્વભાવી, [સુવમયઃ] સુખમય અને [વત્તશસ્વિમાવઃ] કેવળશક્તિસ્વભાવી [સઃ દિ] તે હું છું [ત્તિ] એમ [જ્ઞાની] જ્ઞાની [વિતત્] ચિતવે છે.
ટીકા :–આ, અનંત ચતુષ્ટયાત્મક નિજ આત્માના ધ્યાનના ઉપદેશનું કથન
સમસ્ત બાહ્ય પ્રપંચની વાસનાથી વિમુક્ત, નિરવશેષપણે અંતર્મુખ પરમતત્ત્વજ્ઞાની જીવને શિખામણ દેવામાં આવી છે. ક્યા પ્રકારે ? આ પ્રકારે :–સાદિ અનંત અમૂર્ત અતીન્દ્રિયસ્વભાવવાળા શુદ્ધસદ્ભૂતવ્યવહારથી, શુદ્ધ સ્પર્શરસગંધવર્ણના આધારભૂત શુદ્ધ પુદ્ગલપરમાણુની માફક, જે કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળસુખ અને કેવળશક્તિયુક્ત પરમાત્મા તે હું છું એમ જ્ઞાનીએ ભાવના કરવી; અને નિશ્ચયથી, હું સહજજ્ઞાનસ્વરૂપ છું, હું સહજદર્શનસ્વરૂપ છું, હું સહજચારિત્રસ્વરૂપ છું અને હું સહજચિન્શક્તિસ્વરૂપ છું એમ ભાવના કરવી.
એવી રીતે એકત્વસપ્તતિમાં (-શ્રી પદ્મનંદીઆચાર્યવરકૃત પદ્મનંદિપંચવિંશતિના એક–સપ્તતિ નામના અધિકારમાં ૨૦મા શ્લોક દ્વારા) કહ્યું છે કે –