________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
જીવ અધિકાર
| [ ૨૩
लक्षणमाकाशम्। पंचानां वर्तनाहेतुः कालः। चतुर्णाममूर्तानां शुद्धगुणाः, पर्यायाश्चैतेषां तथाविधाश्च।
(મતિની) इति जिनपतिमार्गाम्भोधिमध्यस्थरत्नं द्युतिपटलजटालं तद्धि षड्द्रव्यजातम्। हृदि सुनिशितबुद्धिर्भूषणार्थं विधत्ते स भवति परमश्रीकामिनीकामरूपः।। १६ ।।
जीवो उवओगमओ उवओगो णाणदंसणो होइ। णाणुवओगो दुविहो सहावणाणं विहावणाणं ति।।१० ।।
(-સ્વભાવસ્થિતિનું અને વિભાવસ્થિતિનું) નિમિત્ત તે અધર્મ છે.
(બાકીનાં) પાંચ દ્રવ્યોને અવકાશદાન (-અવકાશ દેવો તે) જેનું લક્ષણ છે તે આકાશ
(બાકીનાં) પાંચ દ્રવ્યોને વર્તમાનું નિમિત્ત તે કાળ છે.
(જીવ સિવાયનાં) ચાર અમૂર્ત દ્રવ્યોના શુદ્ધ ગુણો છે; તેમના પર્યાયો પણ તેવા (શુદ્ધ જ) છે.
[હવે નવમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક દ્વારા છ દ્રવ્યની શ્રદ્ધાનું ફળ વર્ણવે છે.]
[શ્લોકાર્થ-] એ રીતે તે પદ્રવ્યસમૂહરૂપી રત્નને-કે જે (રત્ન) તેજના અંબારને લીધે કિરણોવાળું છે અને જે જિનપતિના માર્ગરૂપી સમુદ્રના મધ્યમાં રહેલું છે તેને-જે તીક્ષ્ણ બુદ્ધિવાળો પુરુષ હૃદયમાં ભૂષણાર્થે (શોભા માટે) ધારણ કરે છે, તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત્ જે પુરુષ અંતરંગમાં છ દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા કરે છે, તે મુક્તિલક્ષ્મીને વરે છે). ૧૬.
ઉપયોગમય છે જીવ ને ઉપયોગ દર્શન-શાન છે; જ્ઞાનોપયોગ સ્વભાવ તેમ વિભાવરૂપ દ્વિવિધ છે. ૧૦.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com