________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૮૧
केवलज्ञानस्वभावः केवलदर्शनस्वभावः सुखमयः। केवलशक्तिस्वभावः सोहमिति चिंतयेत् ज्ञानी।। ९६ ।।
अनन्तचतुष्टयात्मकनिजात्मध्यानोपदेशोपन्यासोयम्।
समस्तबाह्यप्रपंचवासनाविनिर्मुक्तस्य निरवशेषेणान्तर्मुखस्य परमतत्त्वज्ञानिनो जीवस्य शिक्षा प्रोक्ता। कथंकारम् ,? साद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसद्भूतव्यवहारेण , शुद्धस्पर्शरसगंधवर्णानामाधारभूतशुद्धपुद्गलपरमाणुवत्केवलज्ञानकेवलदर्शनकेवलसुखकेवलशक्तियुक्तपरमात्मा यः सोहमिति भावना कर्तव्या ज्ञानिनेति; निश्चयेन सहजज्ञानस्वरूपोहम् , सहजदर्शनस्वरूपोहम्, सहजचारित्रस्वरूपोहम्, सहजचिच्छक्तिस्वरूपोहम्, इति भावना कर्तव्या चेति
तथा चोक्तमेकत्वसप्ततौ
અન્વયાર્થ – વનજ્ઞાનસ્વભાવ:] કેવળજ્ઞાનસ્વભાવી, [વર્તનસ્વમાવ:] કેવળદર્શનસ્વભાવી, [ સુરમય:] સુખમય અને [વત્રશસ્વિભાવ: ] કેવળશક્તિસ્વભાવી [ સ: ગરમ ] તે હું છું તિ] એમ [ જ્ઞાની ] જ્ઞાની [ ચિંતયે ] ચિંતવે છે.
ટીકા:-આ, અનંતચતુષ્ટયાત્મક નિજ આત્માના ધ્યાનના ઉપદેશનું કથન છે.
સમસ્ત બાહ્ય પ્રપંચની વાસનાથી વિમુક્ત, નિરવશેષપણે અંતર્મુખ પરમતત્ત્વજ્ઞાની જીવને શિખામણ દેવામાં આવી છે. કયા પ્રકારે ? આ પ્રકારે –સાદિ-અનંત અમૂર્ત અતીંદ્રિયસ્વભાવવાળા શુદ્ધસદ્દભૂતવ્યવહારથી, શુદ્ધ સ્પર્શ-રસ-ગંધ-વર્ણના આધારભૂત શુદ્ધ પુદ્ગલ-પરમાણુની માફક, જે કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળસુખ અને કેવળશક્તિયુક્ત પરમાત્મા તે હું છું એમ જ્ઞાનીએ ભાવના કરવી; અને નિશ્ચયથી, હું સહજજ્ઞાનસ્વરૂપ છું, હું સહજદર્શનસ્વરૂપ છું, હું સહજચારિત્રસ્વરૂપ છું અને હું સહજચિન્શક્તિસ્વરૂપ છું એમ ભાવના
કરવી.
એવી રીતે એકત્વસપ્તતિમાં (-શ્રી પદ્મનંદીઆચાર્યવરકૃત પદ્મનંદિપંચવિંશતિના એકત્વસપ્તતિ નામના અધિકારમાં ૨૦ મા શ્લોક દ્વારા ) કહ્યું છે કે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com