________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
* આ ‘ણમોકા૨ મહામન્ત્ર' પુસ્તક પ્રત્યેક ભવ્ય મુમુક્ષુને આત્મોદ્વા૨ માટે અત્યન્ત ઉપયોગી છે. લેખક મહોદયે આ પુસ્તકની રચના કરી દિગમ્બર જૈન સાહિત્યની શોભા વધારી છે.
પંડિત નરેન્દ્રકુમાર ભિસિકર શાસ્ત્રી, સોલાપુર.
* પુસ્તક ઘણું જ સુંદર છે. લેખકે ઘણીજ મહેનત કરી છે. મારી શુભેચ્છા છે.
પંડિત રતનલાલ કટારિયા, કેકડી.
* લઘુકાય પુસ્તકમાં ણમોકાર મહામન્ત્રની વિસ્તૃત તથા વ્યવસ્થિત વ્યાખ્યા કરવામાં આવી છે. કેવળ જૈનો જ નહિ પરંતુ જૈનેતર જિજ્ઞાસુઓને આ મહામન્ત્રના અર્થ, અભિપ્રયા, અને મહાત્મ્યને સમજવામાં આ પુસ્તક ચોક્કસ મદદરૂપ થશે જ.
ખરેખર કષાયાદિ રોગોથી છુટકારો મેળવવા માટે તથા અધ્યાત્મ આંગણમાં વિચરણ કરવા માટે લઘુકાય, આકર્ષક આવરણવાળું તથા મોહક મુદ્રણ કળાવાળું આ પુસ્તક “ફર્સ્ટ એઇડ બોકસ ” નું કામ કરશે. વિદ્વાન લેખકનો પરિશ્રમ સાર્થક છે.
7)
—
ડો. આદિત્ય પ્રચન્ડિયા ‘દીતિ ’, અલીગઢ.
* ‘ણમોકાર મન્ત્ર' પ્રકાશન ખરેખર ‘ગાગરમાં સાગર’ ઉકિતને ચરિતાર્થ કરે છે. પ્રખ્યાત વિદ્વાન લેખકે પંચ પરમેષ્ઠીઓના સ્વરૂપાદિ પર તો પ્રકાશ કર્યો છે જ. સાથે સાથે ણમોકાર મન્ત્ર સંબંધી દરેક દ્રષ્ટિકોણથી સ્પર્શ કરતાં ઉપયોગી વિવેચન રજુ કર્યું છે. પૂર્ણ પ્રકાશન મનનીય તથા સંગ્રહ કરવા જેવું છે.
ડો. દામોદર શાસ્ત્રી, અધ્યક્ષ જૈન દર્શન વિભાગ લાલબહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ, નવી દિલ્હી ૧૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com