________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૭૪ : બધાં ક્ષેત્રોમાં અને બધા કાળોમાં રહેવાવાળા પ્રત્યેક પ્રાણીઓને સમાનરૂપ શાંતિ પ્રદાન કરવાવાળો મહામંત્ર બધા જીવો માટે પરમ મંગળ હો. પરમોત્તમ હો, તથા પરમ શરણભૂત હો – આ કામનાની સાથે વિરામ લઉં છું.
શાન્તિનો આધાર ? ણમોકાર મંત્રનાં રટણથી ક્યારેક કોઇ ધર્માત્માની રક્ષા કરવા દેવતાઓ આવ્યા હતા – આ પૌરાણિક કથા સત્ય હોય શકે છે, તે બાબતમાં શંકા કરવાની કોઇ આવશ્યકતા નથી, પરંતુ તેનાથી એવો નિયમ તો નથી થતો કે જયારે જયારે કોઈ સંકટમાં આવી પડે ત્યારે મોકાર મંત્રનું રટણ કરશે તો ત્યારે દેવતાઓ આવશે અને સહાય કરશે અથવા અતિશય થશે જ.
શાસ્ત્રોમાં તો માત્ર જે ઘટના બની હતી તેનો ઉલ્લેખ છે તેમાં એવું જણાવેલ નથી કે આવે સમયે આવું જ બને છે આતો આપણે પોતે સમજી લીધું છે પરંતુ આ સમજ ઉપર પણ આપણને વિશ્વાસ ક્યાં છે? ખરેખર વિશ્વાસ હોય તો આકુળતા કેમ કરે, ભયભીત કેમ થાય?
જ્ઞાની જીવ પણ મોકાર મંત્ર બોલે છે અને શાંત પણ છે પરંતુ તેની શાંતી નો આધાર એ નથી કે ણમોકાર મંત્રના પ્રભાવે કોઇ દેવતા સહાય કરવા આવશે. પરંતુ સમોકાર મંત્ર બોલવાનું કારણ તો તેઓ અશુભ ભાવથી તથા આકુળતાથી બચવા ઇચ્છે છે.
- ક્રમબદ્ધ પર્યાય
– ક્રમબ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com