SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates : ૬૩ : એટલે જનતાના ઉત્કર્ષની સાથે આચાર્યનો સંબંધ છે. એ પોતાના ધર્મોપદેશ દ્વારા લોકોને તીર્થંકર દ્વારા દર્શાવેલ માર્ગનું અવલોકન કરાવે છે. ભૂલ્યા ભટક્યાંને ધર્મપંથ બતાવે છે. એટલે લોકોના ધાર્મિક નેતા હોવાનું કારણ આચાર્ય વધારે ઉપકારી છે. એટલે બીજા વિભાગના પરમેષ્ઠીઓમાં આચાર્ય પદને પહેલું સ્થાન આપ્યું છે. આચાર્યથી ઓછા ઉપકારી ઉપાધ્યાય છે. આચાર્ય સર્વ સાધારણને પોતાના ધર્મોપદેશથી ધર્મ માર્ગમાં લગાવે છે, પણ ઉપાધ્યાય એ જિજ્ઞાસુઓને અધ્યયન કરાવે છે, જેમના હૃદયમાં જ્ઞાન પિપાસા છે. એમનો સંબંધ સર્વ સાધારણથી નથી, પણ મર્યાદિત અધ્યયનાર્થિઓ સાથે છે. એટલે આચાર્યના પછી ઉપાધ્યાય પદનો પાઠ પણ ઉપકારગુણની ન્યૂનતાને કારણે જ રાખ્યો છે. છેલ્લે મુનિપદ અથવા સાધુ પદ નો પાઠ આવે છે સાધુ બે પ્રકારના છે–દ્રવ્યલિંગી અને ભાવલિંગી. આત્મકલ્યાણ કરવાવાળા ભાલિંગી સાધુ છે એ અંતરંગ-કામ-ક્રોધ, માન, માયા, લોભરૂપી પરિગ્રહથી તથા બહિરંગ ધન, ધાન્ય વસ્ત્ર વગેરે સર્વ પરિગ્રહથી રહિત થઇને આત્મચિંતનમાં લીન રહે છે. તેઓ હંમેશ લોકોપકારથી અલગ રહી આત્મસાધનામાં લીન રહે છે. જો કે એમની સૌમ્ય મુદ્રા અને તેમના અહિંસક આચરણનો પ્રભાવ પણ સમાજ ઉપર વિશેષ પડે છે. પણ તેઓ આચાર્ય અથવા ઉપાધ્યાયની માફક લોક-કલ્યાણમાં સંલગ્ન નથી રહેતા. એટલે “સવ્વ સાધુ ” પદને બધાથી અંતિમ રાખવામાં આવ્યા છે.” k આ પ્રકારે જઇએ છીએ કે ણમોકાર મંત્રના પદક્રમમાં ઉપકારની અપેક્ષાને જ વધારે મહત્ત્વ આપેલ છે. * * Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008270
Book TitleNamokar maha mantra
Original Sutra AuthorN/A
AuthorRatanchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1990
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size478 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy