________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૫૬:
નાશ કરવાવાળો કહેવાય છે.
અહીં જો કોઇ કહે કે મોકાર મંત્રનો સાક્ષાત્ લાભ તો વર્તમાન પાપભાવો તેમજ પાપોથી બચવું તે જ છે, તો વર્તમાન પાપોથી તેમ જ પાપભાવોથી તો અમે કોઇ બીજાના સ્મરણથી પણ બચી શકીએ છીએ.
એમાં ણમોકાર મંત્રની શું વિશેષતા રહી?
સમાધાન - તમારું આમ વિચારવું સાચું નથી, કેમ કે રાગીઓના ચિંતન-સ્મરણથી રાગભાવોની મહાનતા જ તેની દૃષ્ટિમાં રહે છે, વીરાગતા નહિં. વીતરાગની મહિમા આવ્યા વગર કામનાઓનો અભાવ નથી થતો. પણ ઇચ્છાઓની પૂર્તિની ઇચ્છા જ જાગૃત થાય છે, જે પોતે પાપભાવ છે, પાપનું કારણ છે.
પંચપરમેષ્ઠીની મહાનતા વીતરાગતાની વૃદ્ધિમાં છે. આ પ્રસંગે પં. ટોડરમલજીના નીચે મુજબ વિચાર વર્ણવેલ છે –
પૂજયત્વનું કારણ વીતરાગ-વિજ્ઞાન જ છે. આ અરહંતાદિક વીતરાગ-વિજ્ઞાનમય હોવાથી જ સ્તુતિયોગ્ય મહાન થયા છે, કેમ કે રાગાદિ વિકાર વડે અથવા જ્ઞાનની હીનતા વડે તો નિંદા યોગ્ય થાય છે તથા રાગાદિની હીનતા વડે વા જ્ઞાનની વિશેષતા વડ સ્તુતિ વા પ્રશંસા યોગ્ય થાય છે. હવે અરહંત – સિદ્ધને તો સંપૂર્ણ રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતા થવાથી સંપૂર્ણ વીતરાગ-વિજ્ઞાનભાવ સંભવે છે તથા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને એકદેશ વીતરાગ-વિજ્ઞાન ભાવ છે માટે એમને સ્તુતિ યોગ્ય મહાન જાણવા.”
(મોક્ષમાર્ગ પ્રકાશક ) નિત્યનિયમ પૂજાની પીઠિકામાં આપણે દરરોજ બોલીએ છીએઃ -
અપવિત્ર: પવિત્રો વા સુસ્થિતો દુ:સ્થિતોડપિ વા,
ધ્યાયપંચનમસ્કાર સર્વ પાપ: પ્રમુચ્યતે Please inform us of any errors on rajesh@AtmaDharma.com