________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૪૬ :
ચન્તારિ મંગલમ (ચાર મંગળ) ચતારિ મંગલ, અરહંતા, મંગલ, સિદ્ધા મંગલ, સાહૂ મંગલ, કેવલિ પષ્ણતો ધમ્મો મંગલ.
- ચત્તારિ લોગુત્તમા, અરહંતા લાગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહૂ લોગુત્તમાં, કેવલિ પષ્ણતો ધમ્મો લાગુત્તમો,
ચતારિ શરણે પબ્લજજામિ, અરહંત શરણે પબ્લજજામિ, સિદ્ધ શરણે પધ્વજજામિ, સાહૂ શરણે પબ્લજજામિ, કેલિપણાં ધમ્મ શરણે પબ્લજજામિ.
લોકમાં ચાર મંગળ છે. અરહંત ભગવાન મંગળ છે, સિદ્ધ ભગવાન મંગળ છે સાધુ (આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ) મંગળ છે તથા કેવળી ભગવાન દ્વારા બતાવેલ ધર્મ મંગળ છે.
જે મોહ – રાગ – દ્વેષ રૂપી પાપોને ગાળે અને સાચું સુખ ઉત્પન્ન કરાવે, તેને મંગળ કહે છે. અરહંતાદિક સ્વયં મંગળમય છે અને તેમનામાં ભક્તિ ભાવ હોવાથી પરમ મંગળ થાય છે.
લોકમાં ચાર ઉત્તમ છે. અરહંત ભગવાન ઉત્તમ છે. સિદ્ધ ભગવાન ઉત્તમ છે. સાધુ (આચાર્ય ઉપાધ્યાય અને સાધુ) ઉત્તમ છે. તથા કેવળી ભગવાને બતાવેલ ધર્મ ઉત્તમ છે.
લોકમાં બધાથી મહાન હોય, તેને ઉત્તમ કહે છે. લોકમાં આ ચારેય બધાથી મહાન છે, એટલે ઉત્તમ છે.
હું ચારેયની શરણમાં જાઉ છું, અરહંત ભગવાનની શરણમાં જાઉં છું. સિદ્ધ ભગવાનની શરણમાં જાઉં છું, સાધુઓ (આચાર્ય ઉપાધ્યાયની અને સાધુ) ની શરણમાં જાઉં છું, અને કેવળી ભગવાને બતાવેલ વીતરાગી ધર્મની શરણમાં જાઉં છું.
શરણ સહારાને કહે છે. પરમેષ્ઠી દ્વારા બતાવેલ માર્ગ ઉપર ચાલી ને પોતાના આત્માની શરણ લેવી જ પંચપરમેષ્ઠીની શરણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com