________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૩૦ :
આચાર્ય પરમેષ્ઠી | ઉપર મુજબ સામાન્ય સાધુઓના સ્વરૂપમાં બતાવેલ બધી વિશેષતાઓ તો આચાર્ય પરમેષ્ઠિમાં હોય જ છે; કેમ કે મૂળ તો તે સાધુજ
છે; પણ સંઘના વડા હોવાને કારણે એમનામાં બીજી પણ કોઇક એવી વિશેષતાઓ હોય છે, જેનાથી એ આચાર્ય પદના અધિકારી હોય છે.
જેવી રીતે ઘણાં વિદ્યાર્થીઓના વર્ગમાં એક વિદ્યાર્થી જે વર્ગનો વડો હોય છે. એ મૂળતો વિદ્યાર્થી જ છે, એટલે એને સારું ભણવું – ગણવું અને વિદ્યાલયની દિનચર્યાનું પાલન કરવું આદિક તો એક સામાન્ય વિદ્યાર્થીની માફક પૂરા કરવાના હોય છે. પણ વર્ગનો વડો હોવાને કારણે એને ભણવા- ગણવા અને દિનચર્યાના સિવાય શિક્ષક ન હોય ત્યારે વર્ગમાં અનુશાસન – પ્રસાશન આદિનું ઉત્તર-દાયિત્વ પણ કરવું પડે છે, એટલે વર્ગમાં એવો વિદ્યાર્થી કક્ષા વડો બનાવવામાં આવે છે કે જે સામાન્ય વિદ્યાર્થીઓથી પણ વધારે પ્રતિભાવાન હોય, પ્રભાવશાળી વ્યક્તિત્વનો ધની હોય, ધીર-વીર ગંભીર હોય, પોતાની દિનચર્ચામાં નિયમીત હોય, પોતાનું કામ પુરુ કરવાની સાથે સાથે બીજાઓને મદદ કરવામાં સમર્થ હોય, જેમાં સંગઠન શક્તિ હોય, જેને પોતાના ગુરુનો વિશ્વાસ મળેલ હોય, જે ઇમાનદાર હોય, નિષ્પક્ષ હોય. બરાબર એવી રીતે બધા સાધુઓના સંઘમાં એવા સાધુને આચાર્ય પદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવે છે, જે સામાન્ય સાધુઓથી વધારે પ્રતિભાવાન હોય, પ્રભાવશાળી વ્યક્તિત્ત્વના ધની હોય, જોવામાં સુંદર હોય, સંસાર શરીર અને ભોગોથી વિશેષ વૈરાગી હોય, ધીર-વીર અને ગંભીર હોય, દયાળું અને ઉદાર હોય, મધુરભાષી બોલવાવાળા, શાસ્ત્રના મમર્શ અને લોક વ્યવહારમાં શ્રેષ્ઠ હોય. દૂરદર્શી અને કુશળ ઉપદેશક હોય, પંચાચારમાં પરાયણ અને પાંચ ઇન્દ્રિયો પર વિજયી હોય એવા સાધુ જ આચાર્ય પદ ને યોગ્ય હોય છે. શાસ્ત્રોમાં આચાર્ય પરમેષ્ઠીનું જ સ્વરૂપ બતાવેલું છે. એ મૂળતઃ આ પ્રકારે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com