________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૨૮ :
ણગ્યો પાવઇ દુકખં ણગ્યો સંસારસાયરે ભમઇ, ણગ્ગો ણ લહઇ બોહિં જિણભાવણવજિજઓ સુઇરું. ભાવેણં હોઇ ણગ્ગો મિચ્છત્તાઇ ય દોસ ચઇઉણું, પચ્છા દવેણ મુણી પયડદિ લિંગ જિણાણાએ.
( અષ્ટપાહુડ, ભાવ પાહુડગાથા-૬૭, ૬૮, ૭૩)
દ્રવ્યથી બહારમાં તો બધા પ્રાણી નગ્ન હોય છે નારકી જીવ અને તિર્યંચ જીવ તો નિરન્તર વસ્ત્રાદિથી રહિત નગ્ન જ હોય છે. મનુષ્યાદિ પણ કારણ સર નગ્ન થતા દેખાય છે, તોપણ એ બધાં પરિણામોથી અશુદ્ધ છે; એટલે ભાવશ્રમણપણાને પ્રાપ્ત થતા નથી.
જિન ભાવથી રહિત અર્થાત્ સમ્યકદર્શનથી રહિત નગ્ન શ્રમણ સદૈવ દુ:ખ પ્રાપ્ત કરે છે, સંસાર સાગરોમાં ભ્રમણ કરે છે અને એ બોધિ એટલે કે રત્નત્રયરૂપ મોક્ષમાર્ગને અનંકાળ સુધી પ્રાપ્ત કરતાં નથી.
પહેલાં મિથ્યાત્વાદિ દોષો છોડીને ભાવથી અતંરંગ નગ્ન થવું, પછી બાહ્યમાં દ્રવ્યલિંગ ધારણ કરવું આ જિન આજ્ઞા છે.
સાધુ આપણા પરમપૂજય પંચ પરમેષ્ઠીઓમાં સમાહિત છે, જેમને આપણે દ૨૨ોજ ણમોકાર મંત્રનાં રૂપમાં સવાર- સાંજ સ્મરણ કરીએ છીએ. એમના નામની માળા જપીએ છીએ, નમન કરીએ છીએ. એમનાં સંબંધમાં કોઇપણ પ્રકારની કરેલ અસાવધાની અથવા ઉપેક્ષા સન્માર્ગથી દૂર ભટકવામાં પ્રબળ કારણ બની શકે છે. એટલે આ સબંધમાં વિશેષ સાવધાની અને સર્તકર્તા વર્તવાની આવશ્યકતા છે.
આ સંબંધમાં ડો. હુકમચંદ ભારિલ્લનું નીચે મુજબનું કથન વધારે ગંભીરતાપૂર્વક વિચારવા યોગ્ય છે. :
“એ રત્નત્રયના ધારી પરમ વીતરાગી નગ્ન દિગંબર ભાવ લિંગી સંતોના પ્રતિ જો આપણા હૃદયમાં પંચમાત્ર પણ અવજ્ઞાનો ભાર ૨હેશે તો આપણે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com