________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
:૨૨:
સિદ્ધ ૫૨મેષ્ઠી
‘ણટઠટઠકમ્મદેહો, લોયા લોયસ્સ જાણગો દટઠા,
પુરિસાયારો અપ્પા સિદ્ધો ઝાએહ લોયસિહરત્યો. (બૃહદ્ દ્રવ્ય સંગ્રહ, ગાથા-૫૧)
“ જેમણે આઠ કર્મ ને શરીરનો નાશ કર્યો છે, જે લોકાલોકના જ્ઞાતા-દષ્ટા છે, પુરુષાકાર છે, તે આત્મા સિદ્ધ છે. લોકના શિખર ઉપર રહેલા એ સિદ્ધ પરમેષ્ઠિનું તમે ધ્યાન કરો.
,,
แ
પં. ટોડરમલજી એ સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ પણ સિદ્ધ પદ પ્રાપ્ત થવાની પ્રક્રિયા રૂપે લખેલ છે, તે આ પ્રકારે છે:
“જે ગૃહસ્થ અવસ્થા ત્યાગી મુનિધર્મ સાધન વડે, ચાર ધાતિકર્મોનો નાશ થતાં અનંત ચતુષ્ટય સ્વભાવ પ્રગટ કરી કેટલોક કાળ વીત્યે ચાર અઘાતિ કર્મો પણ ભસ્મ થતાં પરમ-ઔદારિક શરીરને પણ છોડી ઉર્ધ્વગમન સ્વભાવથી લોકના અગ્ર ભાગમાં જઇ બિરાજમાન થયાં છે, ત્યાં જેને સંપૂર્ણ પદ્રવ્યોનો સંબંધ છૂટવાથી મુક્ત અવસ્થાની સિદ્ધિ થઇ છે; ચરમ ( અંતિમ ) શરીરથી કિંચિંત ન્યૂન પુરુષાકારવત્ જેના આત્માના પ્રદેશોનો આકાર અવસ્થિત થયો છે, પ્રતિપક્ષી કર્મોનો નાશ થવાથી સમસ્ત સમ્યકત્વ-જ્ઞાન-દર્શનાદિક આત્મિક ગુણો જેને સંપૂર્ણપણે પોતાના સ્વભાવને પ્રાપ્ત થયા છે; કર્મનો સંબંધ દૂર થવાથી જેને સમસ્ત અમૂર્તત્વાદિક આત્મિક ધર્મો પ્રગટ થયા છે, જેને ભાવ કર્મોનો અભાવ થવાથી નિરાકુલ આનંદમય શુદ્ધ સ્વભાવ રૂપ પરિણમન થઇ રહ્યું છે, જેના ધ્યાન વડે ભવ્ય જીવોને સ્વદ્રવ્ય-૫૨ દ્રવ્ય, ઔપાધિક ભાવ સ્વભાવનું વિજ્ઞાન થાય છે; જેના વડે પોતાને સિદ્ધ સમાન થવાનું સાધન થાય છે. તેથી સાધવા યોગ્યજે પોતાનું શુદ્ધ સ્વરૂપ તેને દર્શાવવા માટે પ્રતિબિંબ સમાન છે તથા જે કૃતકૃત્ય થયા છે તેથી એ જ પ્રમાણે અનંતકાળ પર્યંત રહે છે, એવી નિષ્પન્નતાને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com