________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૨૧ :
: ચાર - અનંત ચતુષ્ટય : “જ્ઞાન અનંત અનંત સુખ, દરશ અનંત પ્રમાન,
બલ અનંત અરહંત સો, ઇષ્ટદેવ પહચાન” (૧) અનંત દર્શન (૨) અનંત જ્ઞાન (૩) અનંત સુખ (૪) અનંત વીર્ય આ ચાર અનંત ચતુષ્ટય છે.
આ પ્રમાણે જોઈએ છીએ કે ઉપર મુજબ ૪૬ ગુણોમાં નિશ્ચયથી આત્માના તો કેવળ (૪) અનંત ચતુષ્ટય જ છે.
બાકીના ૪૨ ગુણો તો માત્ર કથનથી જ આત્માના છે. વાસ્તવિક તો એ આત્માના ગુણ નથી. એ તો પુણ્યોદયથી પ્રાપ્ત વિશેષતા છે, જે પુણ્યની સાથે જ સમાપ્ત થઇ જાય છે. તેઓને જ અહીં વ્યવહારથી અરહંત પરમેષ્ઠીના ગુણોમાં ગણ્યા છે.
તીર્થકર કેવળીના સિવાય જે સામાન્ય કેવળી, મૂક કેવળી, ઉપસર્ગ કેવળી, અંત:કૃત આદિ હોય છે, એમને આ ઉપર મુજબના ૪૬ ગુણો ના હોઇ માત્ર અનંત ચતુષ્ટય રૂપ (૪) ગુણ જ હોય છે ઉપર મુજબ ૪૬ ગુણો તીર્થકર અરહંતોને જ હોય છે. અન્ય સામાન્ય અરતોને નહી.
જયારે સાધક જીવ આવા અનંત ચતુષ્ટય સ્વરૂપી અરહંત પરમેષ્ઠીના આલંબનથી પોતાના શુદ્ધાત્માની સાધના-આરાધના કરે છે. ત્યારે તેને ટૂંક સમયમાં આત્મોપલબ્ધિ થઇને સ્વાનુભૂતિ પ્રગટ થઈ જાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com