________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૭ :
થઇ જાય છે. ત્યારે એમાં સમસ્ત લોકલોક સહજ પણે પ્રતિબિંબીત થાય છે. સર્વજ્ઞતાની સિદ્ધિ આચાર્ય સમન્તભદ્ર આપ્તમીમાસામાં, એની ટીકા
અદૃશતી” માં આચાર્ય અકલંક દેવે અને “અષ્ટસહસ્ત્રી ” માં આચાર્ય વિદ્યાનન્દી એ વિસ્તાર થી કરેલ છે. અન્ય જૈન ન્યાય-ગ્રંથોમાં પણ એ વિષય પર પ્રકાશ આપેલ છે. જિજ્ઞાસુ ભાઈ બંધુઓએ પોતાની વિશેષ જિજ્ઞાસા ત્યાંથી શાન્ત કરવી જોઇએ.
આપ્તનું ત્રીજું વિશેષણ હિતોપદેશી છે. આત્માનું હિત સાચા સુખની પ્રાપ્તિમાં જ છે, અને સાચું સુખ નિરાકુળતામાં જ હોય છે. આકુળતા મુક્તિમાં નથી, એટલે મુક્તિના માર્ગમાં લાગવું એ પ્રત્યેક સુખાભિલાષીઓનું કર્તવ્ય છે. મુક્તિના માર્ગનો ઉપદેશ જ હિતોપદેશ છે. અરહંત ભગવાનની દિવ્ય વાણીમાં મુક્તિના માર્ગનો ઉપદેશ આવે છે, એટલે એ જ હિતોપદેશી છે. એમની વાણી અનુસાર સમસ્ત જિનાગમ લખેલ છે. એટલે શાસ્ત્રનું સાચું સ્વરૂપ જાણવું તે જ “હિતોપદેશી” વિશેષણનું સાચું જ્ઞાન છે.” (તીર્થંકર મહાવીર અને એમનું સર્વોદય તીર્થ, પાનું ૧૪૪ થી ૧૨૦)
આ પ્રકારે જે જીવ “ણમો અરહંતાણેનો અર્થ સમજીને અરહંત ભગવાનને નમસ્કાર કરે છે, તેના બધાં પાપોનો નાશ અવશ્ય થાય છે અને એક દિવસ એ પોતે અરહંત પદ ને પ્રાપ્ત કરે છે.
અરહંત ભગવાનનું સ્વરૂપ દ્રવ્ય ગુણ-પર્યાયથી જાણવાનું ફળ બતાવતા આચાર્ય કુન્દકુન્દ લખે છે.
“જો જાણદિ અરહંત દધ્વન્તગુણcપજજયન્તહિં, સો જાણદિ અધ્વાણ મોહો ખલુ જાદિ તસ્સ લય”
(પ્રવચનસાર ગાથા ૮૦) જે અરહંતને દ્રવ્યપણે, ગુણપણે, અને પર્યાય પણે જાણે છે, તે પોતાના આત્માને જાણે છે અને એનો મોહ અવશ્ય નાશ થાય છે.
અમૃતચન્દ્રાચાર્ય ઉપરની ગાથાની ટીકા પૂર્ણ કરતાં અંતમાં લખે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com