________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર
399 वच्छल रहित दोष पर भाखै।
चित प्रभावना मांहि न राखै।। ३४।। અર્થ - જિન-વચનમાં સંદેહ, આત્મ-સ્વરૂપમાંથી ડગવું, વિષયોની અભિલાષા, શરીરાદિમાં મમત્વ, અશુચિમાં ગ્લાનિ, સહધર્મીઓ પ્રત્યે દ્વેષ, બીજાઓની નિંદા, જ્ઞાનની વૃદ્ધિ આદિ ધર્મ-પ્રભાવનાઓમાં પ્રમાદ;-આ આઠ મળ સમ્યગ્દર્શનને દૂષિત કરે છે. ૩૪.
છ અનાયતન (દોહરા) कुगुरु कुदेव कुधर्म धर, कुगुरु कुदेव कुधर्म।
इनकी करै सराहना, यह षडायतन कर्म।। ३५।। અર્થ - કુગુરુ, કુદેવ, કુધર્મના ઉપાસકો અને કુગુરુ, કુદેવ, કુધર્મની પ્રશંસા કરવી એ છ અનાયતન છે. ૩પ.
ત્રણ મૂઢતાના નામ અને પચ્ચીસ દોષોનો સરવાળો (દોહરા) વેવમૂઢ, ગુરુમૂઢતા, ઘર્મમૂઢતા પોષા
आठ आठ षट तीन मिलि , ए पचीस सब दोष।।३६ ।। અર્થ:- દેવમૂઢતા અર્થાત્ સાચા દેવનું સ્વરૂપ ન જાણવું તે, ગુમૂઢતા અર્થાત્ નિર્ચન્થ મુનિનું સ્વરૂપ ન સમજવું અને ધર્મમૂઢતા અર્થાત્ જિનભાષિત ધર્મનું સ્વરૂપ ન સમજવું; આ ત્રણ મૂઢતા છે. આઠ મદ, આઠ મળ, છ અનાયતન અને ત્રણ મૂઢતા-આ બધા મળીને પચ્ચીસ દોષ થયા. ૩૬.
(૭) પાંચ કારણોથી સમ્યકત્વનો વિનાશ થાય છે. (દોહરા) ग्यान गरब मति मंदता, निठुर वचन उदगार।
रुद्रभाव आलस दसा, नास पंच परकार।। ३७।। અર્થ:- જ્ઞાનનું અભિમાન, બુદ્ધિની હીનતા, નિર્દય વચનો બોલવા, ક્રોધી પરિણામ અને પ્રમાદ-આ પાંચ સમ્યકત્વના ઘાતક છે. ૩૭.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com