SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates સમયસાર નાટક તે જ મહામૂર્ખ મોક્ષમાર્ગથી વિમુખ છે. જ્યારે જીવને સમ્યગ્દર્શન સહિત જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે તે અનિવાર્ય ઉન્નતિ કરે છે. પં. બનારસીદાસજી કહે છે કે તે જ્ઞાન દર્પણની સમાન ઉજ્જવળ સ્વયં કારણસ્વરૂપ થઈને કાર્યમાં પરિણમે છે અર્થાત્ સિદ્ધપદ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ:- વિશુદ્ધતાપૂર્વક વધેલું જ્ઞાન કોઈના રોકવાથી રોકાતું નથી, વધતું જ જાય છે, તેથી પૂર્વ અવસ્થામાં જે જ્ઞાન ઉત્પન્ન થયું હતું તે કારણરૂપ હતું, તે જ કાર્યરૂપ પરિણમીને સિદ્ધસ્વરૂપ થાય છે. ૧૩. જ્ઞાન અને શુભાશુભ કર્મોનું વર્ણન. ( સવૈયા એકત્રીસા ) लौं अष्ट कर्मको विनास नांही सरवथा, तौलौं अंतरातमा धारा दोइ बरनी । एक ग्यानधारा एक सुभासुभ कर्मधारा, दुहूंकी प्रकृति न्यारी न्यारी न्यारी धरनी । इतनौ विसेस जु करमधारा बंधरूप, पराधीन सकति विविध बंध करनी । ग्यानधारा मोखरूप मोखकी करनहार, વોવળી દરનદાર મૌ-સમુદ્ર-તરની ।। ૪ ।। શબ્દાર્થ:- સ૨વથા ( સર્વથા )=પૂરોપૂરો. બરનીવર્તે છે. ઘરની=સત્તા. પરાધીન=પરને આશ્રિત. વિવિધ=જાતજાતનાં. ભૌ( ભવ )=સંસાર. તરની=નૌકા. અર્થ:- જ્યાંસુધી આઠે કર્મ સંપૂર્ણપણે નષ્ટ નથી થતાં ત્યાંસુધી સમ્યગ્દષ્ટિમાં જ્ઞાનધારા અને શુભાશુભ કર્મધારા બન્ને વર્તે છે. બન્ને ધારાઓનો જુદો જુદો સ્વભાવ અને જુદી જુદી સત્તા છે. વિશેષ ભેદ એટલો છે કે કર્મધારા બંધરૂપ यावत्पाकमुपैति कर्मविरतिर्ज्ञानस्य सम्यङ् न सा कर्मज्ञानसमुच्चयोऽपि विहितस्तावन्न काच्क्षितिः । किंत्वत्रापि समुल्लसत्यवशतो यत्कर्म बन्धाय तन् मोक्षाय स्थितमेकमेव परमं ज्ञानं विमुक्तं स्वतः ।। ११।। Please inform us of any errors on [email protected]
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy