________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨]
[ મોક્ષશાસ્ત્ર ઉત્પત્તિનું કારણ થતું નથી. (શ્રી ધવલા પુસ્તક છઠું, પૃષ્ઠ ૪૨૨-૪૨૩)
શંકા- જિનબિંબદર્શન પ્રથમ સમ્યકત્વની ઉત્પત્તિનું કારણ કેવી રીતે થાય છે?
સમાધાન - જિનબિંબદર્શનથી [ જે જીવ પોતાના સંસ્કાર શુદ્ધ આત્મા તરફ વાળે તેને) નિધત્ત અને નિકાચિતરૂપ મિથ્યાત્વાદિ કર્મકલાપનો પણ ક્ષય દેખવામાં આવે છે; તેથી જિનબિંબદર્શન પ્રથમ સમ્યકત્વની ઉત્પત્તિનું કારણ થાય છે. (શ્રી ધવલા. પુસ્તક છઠ્ઠ, પૃષ્ઠ ૪૨૭-૪૨૮]
૪-અધિકરણ - સમ્યગ્દર્શનનું આત્યંતર અધિકરણ આત્મા છે અને બાહ્ય અધિકરણ ત્રસનાડી છે. [લોકાકાશની મધ્યમાં ચૌદ રાજા લાંબી અને એક રાજા પહોળી જે સળંગ જગ્યા છે તેને ત્રસનાડી કહેવાય છે.)
પ-સ્થિતિઃ- ત્રણ પ્રકારના સમ્યગ્દર્શનની નાનામાં નાની સ્થિતિ અંતર્મુહૂર્ત છે. ઔપશમિકની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ તેટલી જ છે, ક્ષાયોપથમિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગર છે અને ક્ષાયિકની સ્થિતિ સાદિ-અનંત છે, તથા સંસારમાં રહેવાની અપેક્ષાએ તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગર તથા અંતર્મુહૂર્ત સહિત આઠ વર્ષ કમ-બે કોડીપૂર્વ છે.
૬-વિધાન- સમ્યગ્દર્શન એક પ્રકારે, અથવા સ્વપર્યાયની લાયકાતની અપેક્ષાએ ત્રણ પ્રકારે-ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક; અથવા આજ્ઞા, માર્ગ, બીજ, ઉપદેશ, સૂત્ર, સંક્ષેપ, વિસ્તાર, અર્થ, અવગાઢ અને પરમ-અવગાઢ એમ દશ પ્રકારે છે. IT ૭
બીજા પણ અમુખ્ય ઉપાય બતાવે છે सत्संख्याक्षेत्रस्पर्शनकालान्तरभावाल्पबहुत्वैश्च ।।८।।
અર્થ:- [૨] અને [ સત્ સંરક્યા ક્ષેત્ર સ્પર્શન | અન્તર ભાવ ન્યદુત્વે:] સત્, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને અલ્પબડુત્વ એ આઠ અનુયોગ દ્વારા પણ પદાર્થનું જ્ઞાન થાય છે.
ટીકા સત્ અને સંખ્યા-તે દ્રવ્ય, ગુણ, પર્યાયના સત્ત્વની અપેક્ષાએ પેટા ભેદ છે. સત્ સામાન્ય છે, સંખ્યા વિશેષ છે.
ક્ષેત્ર અને સ્પર્શન-તે ક્ષેત્રના પેટા ભેદ છે. ક્ષેત્ર સામાન્ય છે, સ્પર્શન વિશેષ છે. કાળ અને અંતર-તે કાળના પેટા ભેદ છે. કાળ સામાન્ય છે, અંતર વિશેષ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com