________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧ સૂત્ર ૬ ]
[ ૨૧ છે તેને નિરૂપણ કરવામાં તત્પર છે તે સમ્યક અનેકાન્ત છે. દરેક ચીજ પોતાપણે છે અને પરપણે નથી. આત્મા સ્વસ્વરૂપે છે-પરસ્વરૂપે નથી; પર તેના સ્વરૂપે છે અને આત્માના સ્વરૂપે નથી-આ પ્રમાણે જાણવું તે સમ્યક અનેકાન્ત છે. અને તત્વ-અતત્ સ્વભાવની જે ખોટી કલ્પના કરવામાં આવે તે મિથ્યા અનેકાન્ત છે. જીવ પોતાનું કરી શકે અને બીજા જીવનું પણ કરી શકે-એમાં જીવનું પોતાથી અને પરથી એમ બન્નેથી તપણું થયું તેથી તે મિથ્યા-અનેકાન્ત છે.
(૬) સમ્યક અને મિથ્યા અનેકાન્તના દષ્ટાંતો ૧-આત્મા પોતાપણે છે અને પરપણે નથી એમ જાણવું તે સમ્યક (સાચું)
અનેકાન્ત; આત્મા પોતાપણે છે અને પરપણે પણ છે એમ જાણવું તે મિથ્યા અનેકાન્ત. ૨-આત્મા પોતાનું કરી શકે છે અને શરીરાદિ પર વસ્તુઓનું કાંઈ કરી શકતો નથી-એમ જાણવું તે સમ્યક અનેકાન્ત; આત્મા પોતાનું કરી શકે છે અને શરીરાદિ પરનું પણ કરી શકે છે એમ જાણવું તે મિથ્યા અનેકાન્ત. ૩-આત્માને શુદ્ધભાવથી ધર્મ થાય અને શુભભાવથી ધર્મ ન થાય એમ જાણવું તે સમ્યક અનેકાન્ત; આત્માને શુદ્ધભાવથી ધર્મ થાય અને શુભભાવથી પણ ધર્મ થાય એમ જાણવું તે મિથ્યા અનેકાન્ત. ૪-નિશ્ચયસ્વરૂપને આશ્રયે ધર્મ થાય અને વ્યવહારના આશ્રયે ધર્મ ન થાય
એમ જાણવું તે સમ્યક અનેકાન્ત; નિશ્ચયસ્વરૂપને આશ્રયે ધર્મ થાય અને વ્યવહારના આશ્રયે પણ ધર્મ થાય
એમ જાણવું તે મિથ્યા અનેકાન્ત. પ-વ્યવહારનો અભાવ થતાં નિશ્ચય પ્રગટે એમ જાણવું તે સમ્યક અનેકાન્ત;
વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે એમ જાણવું તે મિથ્યા અનેકાન્ત. ૬-આત્માને પોતાની શુદ્ધ ક્રિયાથી લાભ થાય અને શરીરની ક્રિયાથી લાભ કે
નુકશાન ન થાય એમ જાણવું તે સમ્યક અનેકાન્ત; આત્માને પોતાની શુદ્ધ ક્રિયાથી લાભ થાય અને શરીરની ક્રિયાથી પણ લાભ થાય એમ જાણવું તે મિથ્યા અનેકાન્ત. ૭-એક વસ્તુમાં પરસ્પર બે વિરોધી શક્તિઓ (સ-અસત, તત-અતત, નિત્ય-અનિત્ય, એક-અનેક વગેરે) પ્રકાશીને વસ્તુને સિદ્ધ કરે તે સમ્યક અનેકાન્ત;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com