________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૯. સૂત્ર ૨૪-૨૫ ]
[ પ૭૭ નિશ્ચયવિનયનું સ્વરૂપ શુદ્ધભાવ તે નિશ્ચયવિનય છે. પોતાના અકષાયભાવમાં અભેદપરિણમન સહિત શુદ્ધતારૂપે ટકવું તે નિશ્ચયવિનય છે; તેથી જ કહેવાય છે કે “વિનયવંત ભગવાન કહાવે, નહિ કિસીકો શિષ નમાવે' (આત્મસિદ્ધિ-પ્રવચનો પા. ૧૭૩), અર્થાત ભગવાન વિનયવંત કહેવાય છે પણ કોઈને શિષ નમાવતા નથી. / ૨૩
સમ્યક્ વૈયાવૃત્યતાના દસ ભેદ
आचार्योपाध्ययतपस्विशैक्ष्यग्लानगणकुलसंघसाधुमनोज्ञानाम्।। २४।।
અર્થ:- [ ભાવાર્થ ઉપાધ્યાય તપસ્વિ] આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, [ શૈક્ષ્ય સત્તાન TM ] શૈશ્ય, ગ્લાન, ગણ, કુળ, [સંઘ સાધુ મનોજ્ઞાનાન્] સંઘ, સાધુ અને મનોજ્ઞ-એ દસ પ્રકારનાં મુનિઓની સેવા કરવી તે દસ પ્રકાર વૈયાવૃત્યતપના છે.
ટીકા ૧. સૂત્રમાં આવેલા શબ્દોના અર્થ (૧) આચાર્ય- જે મુનિ પોતે પાંચ આચારને આચરે અને બીજાને આચરણ
કરાવે તે. (૨) ઉપાધ્યાય-જેની પાસે શાસ્ત્રોનું અધ્યયન કરવામાં આવે છે. (૩) તપસ્વી- મહાન ઉપવાસ કરનાર સાધુ. (૪) શૈક્ષ્ય- શાસ્ત્રના અધ્યયનમાં તત્પર મુનિ. (૫) ગ્લાન- રોગથી પીડિત મુનિ. (૬) ગણ- વૃદ્ધ મુનિઓ અનુસાર ચાલનારા મુનિઓનો સમુદાય. (૭) કુળ- દીક્ષા દેનાર આચાર્યના શિષ્યો. (૮) સંઘ- ઋષિ, યતિ, મુનિ અને અણગાર એ ચાર પ્રકારના મુનિઓનો
સમૂહું. (સંઘના બીજા પ્રકારે ચાર ભેદો આ પ્રમાણે છે-સાધુ, અજિંકા,
શ્રાવક અને શ્રાવિકા.). (૯) સાધુ- જેણે ઘણા કાળથી દીક્ષા લીધી હોય તે, અથવા રત્નત્રયભાવનાથી
પોતાના આત્માને સાથે તે. (૧૦) મનોજ્ઞ- લોકમાં જેની ઘણી પ્રશંસા થઈ રહી હોય એવા મુનિ. ૨. આ દરેકની સેવા કરવી તે વૈયાવૃત્ય છે. આ વૈયાવૃત્ય શુભભાવરૂપ છે,
તેથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com