________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates અ. ૯ સૂત્ર ૨૨]
[ ૫૭૫
સમ્યક્ પ્રાયશ્ચિત્તતપના નવ ભેદો
आलोचनप्रतिक्रमणतदुभयविवेकव्युत्सर्गतपश्छेदपरिहारोपस्थापनाः।।२२।।
અર્થ:- [મતોષના પ્રતિક્રમણ તનુમય] આલોચના, પ્રતિક્રમણ, તદુભય [વિવેવ્ઝ વ્યુત્સર્ગ તપ: ] વિવેક વ્યુત્સર્ગ, તપ, [છેવપરિહાર ઉપસ્થાપના: ] છેદ, પરિહાર અને ઉપસ્થાપન- આ નવ ભેદો પ્રાયશ્ચિત્તતપના છે.
ટીકા
૧. સૂત્રોમાં આવેલા શબ્દોની વ્યાખ્યા
પ્રાયશ્ચિત્ત- પ્રાયઃ= અપરાધ, ચિત્ત = શુદ્ધિ; અપરાધની શુદ્ધિ કરવી તે પ્રાયશ્ચિત્ત છે. (૧) આલોચના-પ્રમાદથી થયેલા દોષોને ગુરુ પાસે જઈને નિષ્કપટ રીતે કહેવા તે.
(૨) પ્રતિક્રમણ- પોતે કરેલા અપરાધ મિથ્યા થાઓ-એવી ભાવના. (૩) તદુભય-તે બન્ને અર્થાત્ આલોચના અને પ્રતિક્રમણ બન્ને કરવાં તે. (૪) વિવેક- આહાર-પાણીનો નિયમિત સમય સુધી ત્યાગ કરવો તે. (૫ ) વ્યુત્સર્ગ-કાયોત્સર્ગ કરવો.
(૬) તપ-ઉપવાસાદિ કરવા તે.
(૭) છેદ- એક દિવસ, પખવાડિયું, મહિનો વગેરે વખત સુધી દીક્ષાનો છેદ કરવો તે. (૮) પરિહાર- એક દિવસ, પખવાડિયું, મહિનો વગેરે નિયમિત સમય સુધી સંઘથી પૃથક્ કરવો તે.
(૯) ઉપસ્થાપન- દીક્ષાનો સંપૂર્ણ છેદ કરીને ફરીથી નવી દીક્ષા દેવી તે. ૨. આ બધા ભેદો વ્યવહા૨પ્રાયશ્ચિત્તના છે. જે જીવને નિશ્ચયપ્રાયશ્ચિત્ત પ્રગટયું હોય તે જીવના આ નવ પ્રકારના પ્રાયશ્ચિત્તને વ્યવહારપ્રાયશ્ચિત્ત કહેવાય; પણ જો નિશ્ચયપ્રાયશ્ચિત્ત ન પ્રગટયું હોય તો તે વ્યવહા૨ાભાસ છે.
૩. નિશ્ચયપ્રાયશ્ચિત્તનું સ્વરૂપ
પોતાના જ આત્માના જે ઉત્કૃષ્ટ બોધ, જ્ઞાન તથા ચિત્ત છે તેને જે જીવ નિત્ય ધારણ કરે છે તેને જ પ્રાયશ્ચિત્ત હોય છે. (બોધ, જ્ઞાન ને ચિત્તનો અર્થ એક જ છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com