________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
શ્રી સર્વજ્ઞ વીતરાગાય નમઃ
શ્રી સદ્ગુરુદેવાય નમઃ
શ્રી ઉમાસ્વામી વિરચિત
મોક્ષશાસ્ર-ગુજરાતી ટીકા
પ્રથમ અધ્યાય (મંગલાચરણ )
मोक्षमार्गस्य नेतार भेत्तारं कर्मभूभृताम्। ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये।।
અર્થ:- મોક્ષમાર્ગના પ્રવર્તાવનાર અર્થાત્ ચલાવનાર, કર્મરૂપી પર્વતોના ભેદના૨ અર્થાત્ નાશ કરનાર. વિશ્વના અર્થાત્ બધાં તત્ત્વોના જાણનાર તેને તે ગુણોની પ્રાપ્તિ માટે હું પ્રણામ કરું છું-વંદન કરું છું.
સંક્ષિપ્ત અવલોકન
(૧) આ શાસ્ત્ર શરૂ કરતાં પહેલાં આ શાસ્ત્રનો વિષય શું છે તે ટૂંકમાં જણાવવાની જરૂર છે.
(૨) આચાર્ય ભગવાને આ શાસ્ત્રનું નામ ' મોક્ષશાસ્ત્ર' અથવા ‘તત્ત્વાર્થસૂત્ર’ રાખ્યું છે. જગતના જીવો અનંત પ્રકા૨ના દુઃખો ભોગવી રહ્યા છે, તે દુ:ખોથી હંમેશને માટે મુક્ત થવા એટલે કે અવિનાશી સુખ મેળવવા તેઓ અહર્નિશ ઉપાયો કરી રહ્યા છે; પણ તેઓના તે ઉપાયો ખોટા હોવાથી જીવોને દુ:ખ મટતું નથી, એક કે બીજા પ્રકારે દુઃખ ચાલ્યા જ કરે છે. દુઃખોની પરંપરાથી જીવો શી રીતે મુક્ત થાય તેનો ઉપાય અને તેનું વીતરાગી વિજ્ઞાન આ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યાં છે તેથી તેનું નામ ‘મોક્ષશાસ્ત્ર' રાખવામાં આવ્યું મૂળભૂત ભૂલ વિના દુઃખ હોય નહિ અને તે ભૂલ ટળતાં સુખ થયા વગર રહે જ નહિ એવો અબાધિત સિદ્ધાંત છે. વસ્તુનું સાચું સ્વરૂપ સમજ્યા વિના એ ભૂલ ટળે નહિ; તેથી વસ્તુનું સાચું સ્વરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com