SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૬ સૂત્ર ર૬-૨૭ ] [ ૪૩૫ [સત કુળ ઉછા સસત ઉભાવને ૨] તેમજ પ્રગટ ગુણોને ઢાંકવા અને ના હોય તેવા ગુણોને જાહેર કરવા તે [નીā: ગોત્ર] નીચગોત્રકર્મના આસ્રવનાં કારણો છે. ટીકા એકેન્દ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના બધા તિર્યંચો, નારકીઓ તથા લબ્ધિઅપર્યાપ્તક મનુષ્યો તે બધાને નીચ ગોત્ર છે, દેવોને ઉચ્ચ ગોત્ર છે, ગર્ભજ મનુષ્યોને બન્ને પ્રકારનાં ગોત્રકર્મો હોય છે. તે ૨૫TI | ઉચ્ચ ગોત્રકર્મના આસવનું કારણ तद्विपर्ययो नीचैर्वृत्त्यनुत्सेकौ चोत्तरस्य।। २६ ।। અર્થ:- [ તત્વ વિપર્યય: ] તે નીચગોત્રના આસ્રવનાં કારણોથી વિપરીત અર્થાત્ પરપ્રશંસા, આત્મનિંદા વગેરે [૨] તેમજ [ નીચે:વૃત્તિ અનુસ્સે] નમ્ર વૃત્તિ હોવી તથા મદનો અભાવ-તે [ઉત્તરસ્ય] બીજા ગોત્રકર્મના એટલે કે ઉચ્ચ ગોત્રકર્મના આસ્રવનાં કારણો છે. ટીકા અહીં નમ્રવૃત્તિ હોવી અને મદનો અભાવ હોવો તે અશુભભાવનો અભાવ સમજવો; તેમાં જે શુભભાવ છે તે ઉચ્ચ ગોત્રકર્મના આસ્રવનું કારણ છે. અનુસેક’નો અર્થ અભિમાન ન હોવું એમ થાય છે. / ર૬ અહીં સુધી સાત કર્મના આસ્રવનાં કારણોનું વર્ણન કર્યું. હવે છેલ્લા અંતરાયકર્મના આસ્રવનું કારણ જણાવીને આ અધ્યાય પૂરો કરે છે. અંતરાયકર્મના આસવનું કારણ विध्नकरणमन्तरायस्य।। २७।। અર્થ:- [ વિનરમ] દાન, લાભ, ભોગ, ઉપભોગ તથા વીર્યમાં વિધ્ર કરવું તે [ ઝંતરાય ] અંતરાયકર્મના આસ્રવનું કારણ છે. ટીકા આ અધ્યાયના ૧૦ થી ૨૭ સુધીના સૂત્રોમાં કર્મના આગ્નવનું જે કથન કર્યું છે તે અનુભાગસંબંધી નિયમ બતાવે છે. જેમ કે, કોઈ પુરુષના દાન દેવાના ભાવમાં કોઈએ અંતરાય કર્યો તો, તે સમયે તેને જે કર્મોનો આસ્રવ થયો તે જો કે સાતે કર્મોમાં વહેંચાઈ ગયો તોપણ, તે વખતે દાનાંતરાયકર્મમાં પ્રચૂર (ઘણો) અનુભાગ પડયો અને Please inform us of any errors on [email protected]
SR No.008267
Book TitleMoksh shastra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy