________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૬ સૂત્ર ૨૪ ]
[ ૪૩૩ વડે ધર્મને પ્રકાશિત કરવો તે માર્ગપ્રભાવના છે. પ્રભાવનામાં સર્વથી ઉત્તમ આત્મપ્રભાવના છે-કે જે રત્નત્રયના તેજથી દેદીપ્યમાન થતાં સર્વોત્કૃષ્ટ ફળ આપે છે. સમ્યગ્દષ્ટિને શુભરાગરૂપ જે પ્રભાવના છે તે આસ્રવ-બંધનું કારણ છે. પરંતુ સમ્યગ્દર્શનાદિરૂપ જે પ્રભાવના છે તે આસ્રવ-બંધનું કારણ નથી.
(૧૬) પ્રવચનવાત્સલ્ય સાધર્મીઓ પ્રત્યે પ્રીતિ તે વાત્સલ્ય છે. વાત્સલ્ય અને ભક્તિમાં એ ફેર છે કે, વાત્સલ્ય તો નાના-મોટા બધા સાધર્મીઓ પ્રત્યે હોય છે અને ભક્તિ પોતાથી જે મોટા હોય તેમના પ્રત્યે હોય છે. શ્રત અને શ્રુતના ધારણ કરનાર બન્ને પ્રત્યે વાત્સલ્ય રાખવું તે પ્રવચન વાત્સલ્ય છે. આ શુભરાગરૂપ ભાવ છે, તે આસ્રવબંધનું કારણ છે.
૩. તીર્થકરોના ત્રણ પ્રકાર તીર્થકરદેવો ત્રણ પ્રકારના છે- (૧) પંચ કલ્યાણિક (૨) ત્રણ કલ્યાણિક અને (૩) બે કલ્યાણિક, જેમને પૂર્વભવમાં તીર્થંકરપ્રકૃતિ બંધાયેલી હોય તેઓને તો નિયમથી ગર્ભ, જન્મ, તપ, જ્ઞાન અને નિર્વાણ એ પાંચ કલ્યાણિક હોય છે. જેઓને વર્તમાન મનુષ્યપર્યાયના ભવમાં જ ગૃહસ્થ અવસ્થામાં તીર્થંકર પ્રકૃતિ બંધાય તેમને તપ, જ્ઞાન અને નિર્વાણ એ ત્રણ કલ્યાણિક હોય છે અને જેઓને વર્તમાન મનુષ્યપર્યાયના ભવમાં મુનિ દીક્ષા લીધા પછી તીર્થંકરપ્રકૃતિ બંધાય તેને જ્ઞાન અને નિર્વાણ એ બે જ કલ્યાણિક હોય છે. બીજા અને ત્રીજા પ્રકારના તીર્થકરો મહાવિદેહક્ષેત્રમાં જ થાય છે. મહાવિદેહમાં જે પંચ-કલ્યાણિક તીર્થકરો છે, તેમના સિવાયના બે કે ત્રણ કલ્યાણિકવાળા તીર્થકરો પણ હોય છે; તથા તેઓ મહાવિદેહના જે ક્ષેત્રે બીજા તીર્થકરો ન હોય ત્યાં જ થાય છે. મહાવિદેહક્ષેત્ર સિવાય ભરતઐરાવત ક્ષેત્રોમાં જે તીર્થકરો થાય છે તેઓ નિયમથી પંચકલ્યાણિક જ હોય છે.
૪. અરિહંતોના સાત પ્રકાર ઉપર તીર્થકરોના જે ત્રણ પ્રકાર કહ્યા તે ત્રણ પ્રકાર અરિહંતોના સમજવા અને તે ઉપરાંત બીજા પ્રકારો નીચે મુજબ છે
(૪) સાતિશય કેવળી- જે અરિહંતોને તીર્થંકરપ્રકૃતિનો ઉદય હોતો નથી પરંતુ ગંધકુટી ઇત્યાદિ હોય છે તેમને સાતિશય કેવળી કહેવાય છે.
(૫) સામાન્ય કેવળી- જે અરિહંતોને ગંધકુટી ઇત્યાદિ વિશેષતા ન હોય તેમને સામાન્ય કેવળી કહેવાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com