SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૨ ] [ મોક્ષશાસ્ત્ર (૮) જીવોને નિરંતર વાત કરવાના પરિણામ રાખવા. (૯) જેમાં બીજા પ્રાણીનો વધ થાય એવાં જૂઠાં વચન બોલવાનો સ્વભાવ રાખવો, (૧૦) બીજાઓનું ધન હરણ કરવાનો સ્વભાવ રાખવો, (૧૧) બીજાની સ્ત્રીઓને આલિંગન કરવાનો સ્વભાવ રાખવો, (૧૨) મૈથુનસેવનથી વિરક્તિ ન થવી, (૧૩) અત્યંત આરંભમાં ઇન્દ્રિયોને લગાવી રાખવી, (૧૪) કામભોગોની અભિલાષાને સદેવ વધાર્યા કરવી, (૧૫) શીલ-સદાચારરહિત સ્વભાવ રાખવો, (૧૬) અભક્ષ્ય ભક્ષણને ગ્રહણ કરવાનો કે કરાવવાનો ભાવ રાખવો, (૧૭) ઘણા કાળ સુધી વૈર બાંધી રાખવું, (૧૮) મહાદૂર સ્વભાવ રાખવો, (૧૯) વિચાર્યા વિના રોવા-કૂટવાનો સ્વભાવ રાખવો. (૨૦) દેવ-ગુરુ-શાસ્ત્રોમાં મિથ્યા દોષ લગાડવા, (૨૧) કૃષ્ણલેશ્યાના પરિણામ રાખવા, (રર) રૌદ્રધ્યાનમાં મરણ કરવું. આ વગેરે લક્ષણવાળા પરિણામ નરકાયુનું કારણ થાય છે. || ૧૫ IT તિર્યંચાયુના આસવનું કારણ માયા તૈયોનસ્યાા ૨૬ ના અર્થ- [ માયા] માયા-છળકપટ તે [ તૈર્ય યોન] તિર્યંચાયુના આસ્રવનું કારણ છે. ટીકા આત્માનો કુટિલ સ્વભાવ તે માયા છે; તેનાથી તિર્યંચયોનિનો આસ્રવ થાય છે. તિર્યંચાયુના આસ્રવના કારણનું આ સૂત્રમાં જે વર્ણન કર્યું છે તે સંક્ષેપમાં છે. તે ભાવોનું વિસ્તારથી વર્ણન નીચે પ્રમાણે છે (૧) માયાથી મિથ્યાધર્મનો ઉપદેશ દેવો, (૨) બહુ આરંભ-પરિગ્રહમાં કપટમય પરિણામ કરવા, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008267
Book TitleMoksh shastra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy