________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૬ સૂત્ર ૧૪ ]
[ ૪૧૯ ચારિત્રમોહના આસવનું કારણ कषायोदयात्तीव्रपरिणामश्चारित्रमोहस्य ।। १४ ।।
અર્થ:- [ષાય૩યાત] કષાયના ઉદયથી [તીવ્ર પરિણામ:] તીવ્ર પરિણામ થાય તે [વારિત્રમોરચ] ચારિત્રમોહનીયના આસ્રવનું કારણ છે.
ટીકા
૧. કષાયની વ્યાખ્યા આ અધ્યાયના પાંચમા સૂત્રમાં આવી ગઈ છે. ઉદયનો અર્થ વિપાક-અનુભવ છે. જીવ કષાયકર્મના ઉદયમાં જોડાઈને જેટલો રાગ-દ્વેષ કરે તેટલો કષાયનો ઉદય-વિપાક-અનુભવ તે જીવને થયો એમ કહેવાય. કષાયકર્મના ઉદયમાં જોડાતાં જીવને તીવ્રભાવ થાય તે ચારિત્રમોહનીયકર્મના આસ્રવનું કારણ (નિમિત્ત) છે એમ સમજવું.
૨. ચારિત્રમોહનીયના આસવનું આ સૂત્રમાં સંક્ષેપથી વર્ણન છે; તેનો વિસ્તાર નીચે પ્રમાણે છે
(૧) પોતાને તથા પરને કષાય ઉપજાવવો; (૨) તપસ્વી જનોને ચારિત્રદોષ લગાડવો; (૩) સંકલેશ પરિણામને ઉપજાવવાવાળા વેપ-વ્રત વગેરે ધારણ કરવા; એ
વગેરે લક્ષણવાળા પરિણામ કષાય કર્મના આસ્રવનું કારણ છે. (૧) ગરીબોનું અતિહાસ્ય કરવું (૨) ઘણો વૃથા પ્રલાપ કરવો; (૩) હાસ્યસ્વભાવ રાખવો;
એ વગેરે લક્ષણવાળા પરિણામ હાસ્યકર્મના આસવનું કારણ છે. (૧) વિચિત્ર ક્રીડા કરવામાં તત્પરતા હોવી; (૨) વ્રત-શીલમાં અરુચિપરિણામ કરવાનું
એ વગેરે લક્ષણવાળા પરિણામ રતિકર્મના આસવનું કારણ છે. (૧) પરને અરતિ ઉપજાવવી; (૨) પરની રતિનો વિનાશ કરવો; (૩) પાપ કરવાનો સ્વભાવ હોવો; (૪) પાપનો સંસર્ગ કરવો;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com