________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૬ સૂત્ર ૮-૯ ]
[ ૪૦૫ અપ્રત્યાખ્યાન કષાય-જે કષાયથી જીવ એકદેશરૂપ સંયમ ( –સમ્યગ્દષ્ટિશ્રાવકનાં વ્રત) કિંચિત્ માત્ર પામી ન શકે તેને અપ્રત્યાખ્યાન કષાય કહેવાય છે.
પ્રત્યાખ્યાન કષાય-જે કષાયથી જીવ સમ્યગ્દર્શનપુર્વકના સકળ સંયમને ગ્રહણ કરી શકે નહિ તેને પ્રત્યાખ્યાન કષાય કહેવાય છે.
સંજવલન કષાય-જે કષાયથી સંયમી જીવનો સંયમ તો ટકી રહે પરંતુ શુદ્ધ સ્વભાવમાં-શુદ્ધોપયોગમાં પૂર્ણપણે લીન થઈ શકે નહિ તેને સંજ્વલન કષાય કહેવાય છે.
સંરક્ષ્મ-કોઈ પણ વિકારી કાર્ય કરવાનો નિર્ણય-સંકલ્પ કરવો તેને સંરક્સ કહેવાય છે. (સંકલ્પ બે પ્રકારના છે. ૧. મિથ્યાત્વરૂપ સંકલ્પ, ૨. અસ્થિરતારૂપ સંકલ્પ)
સમારંભ-તે નિર્ણયને અનુસરીને સાધનો મેળવવાનો ભાવ તેને સમારંભ કહેવાય છે.
આરંભ-તે કાર્યની શરૂઆત કરવી તેને આરંભ કહેવાય છે. કૃત-પોતે જાતે કરવાનો ભાવ તેને કૃત કહેવાય છે. કારિત-બીજા પાસે કરાવવાનો ભાવ તેને કારિત કહેવાય છે. અનુમત-બીજાઓ કરે તેને ભલું સમજવું તેને અનુમત કહેવાય છે. તે દા
અજીવ-અધિકરણ આસવના ભેદો निर्वर्तनाक्षेपसंयोगनिसर्गा द्विचतुर्द्वित्रिभेदाः परम्।।९।।
અર્થ- [ પરમ] બીજો અર્થાત્ અજીવ-અધિકરણ આસ્રવ [ નિર્વર્તના ઢિ] બે પ્રકારની નિર્વર્તના, [ નિક્ષેપ વતુ:] ચાર પ્રકારના નિક્ષેપ, [ સંયોગ દિ] બે પ્રકારના સંયોગ અને [નિસ: ત્રિ મેવા:] ત્રણ પ્રકારના નિસર્ગ-એમ કુલ ૧૧ ભેદરૂપ છે.
ટીકા નિર્વતના-રચના કરવી-નિપજાવવું તે નિર્વર્તના છે; તેના બે પ્રકાર છેઃ ૧શરીરથી કુચેષ્ટા ઉપજાવવી તે દેહ-દુ:પ્રયુક્ત નિર્વતના છે અને ૨-શસ્ત્ર વગેરે હિંસાના ઉપકરણની રચના કરવી તે ઉપકરણનિર્વના છે. અથવા બીજા પ્રકારે બે
ભેદ આ પ્રમાણે પડે છેઃ ૧- પાંચ પ્રકારનાં શરીર, મન, વચન, શ્વાસોશ્વાસનું નિપજાવવું તે મૂળગુણ નિર્વર્તના છે અને કાષ્ટ, માટી વગેરેથી ચિત્ર વગેરેની રચના કરવી તે ઉત્તરગુણ નિર્વર્તના છે.
નિક્ષેપ:- વસ્તુને મૂકવી તે નિક્ષેપ છે. તેના ચાર ભેદ છેઃ ૧. જોયા વિના વસ્તુ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com