________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૬ સૂત્ર ૧-૨ ].
[ ૩૯૩ ટીકા
૧. અધ્યાય ૫, સૂત્ર ૨૨ માં “ક્રિયા' શબ્દ કહ્યો છે અને અહીં “કર્મ' શબ્દ કહ્યો છે તે બન્નેનો અર્થ એક જ છે.
૨. યોગ - આત્માના પ્રદેશોનું સકંપ થવું તે; સૂત્રમાં યોગના જે ત્રણ પ્રકાર કહ્યા છે તે નિમિત્ત અપેક્ષાએ છે. ઉપાદાનરૂપ યોગમાં ત્રણ પ્રકાર નથી પણ એક જ પ્રકાર છે. બીજી રીતે યોગના બે પ્રકાર પાડી શકાય છે-૧. ભાવયોગ અને ૨. દ્રવ્યયોગ. કર્મ-નોકર્સને ગ્રહણ કરવાની આત્માની શક્તિવિશેષ તે ભાવયોગ છે, અને તે શક્તિના કારણે આત્મપ્રદેશોનું પરિસ્પંદન (ચંચળ થવું) તે દ્રવ્યયોગ છે- (અહીં દ્રવ્ય” નો અર્થ “આત્મદ્રવ્યના પ્રદેશો” થાય છે).
૩. આ આસ્રવ અધિકાર છે. યોગ તે આસ્રવ છે-એમ બીજા સૂત્રમાં કહેશે. આ યોગના બે પ્રકાર છે-૧. સકષાય યોગ અને ૨. અકષાય યોગ. (જુઓ, સૂત્ર ૪.).
૪. ભાવયોગ જો કે એક જ પ્રકારનો છે તોપણ નિમિત્ત અપેક્ષાએ તેના પંદર ભેદ પડ છે; જ્યારે તે યોગ મન તરફ વળે છે ત્યારે તેમાં મન નિમિત્ત હોવાથી, યોગ અને મનનો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ બતાવવા માટે, તે યોગને “મનોયોગ ” કહેવામાં આવે છે. આ જ પ્રમાણે જ્યારે વચન તથા કાય તરફ વળે છે ત્યારે વચન અને કાયયોગ કહેવાય છે. તેમાં મનોયોગના ચાર પ્રકાર, વચનયોગના ચાર પ્રકાર અને કાયયોગના સાત પ્રકાર છે; એ રીતે નિમિત્તની અપેક્ષાએ ભાવયોગના કુલ પંદર ભેદો પડે છે. (જૈન સિદ્ધાંત પ્રવેશિકા-પ્ર. ૨૨૦, ૪૩૨, ૪૩૩ )
૫. આત્માના અનંત ગુણોમાનો એક “યોગ' ગુણ છે; તે અનુજીવી ગુણ છે. તે ગુણના પર્યાયમાં બે પ્રકાર પડે છે-૧. પરિસ્પંદનરૂપ એટલે કે આત્મપ્રદેશોનાં કંપનરૂપ અને ૨. આત્મપ્રદેશોની નિશ્ચલતારૂપ-નિષ્કપરૂપ. પહેલો પ્રકાર તે યોગગુણનો અશુદ્ધ પર્યાય છે અને બીજા પ્રકાર તે યોગગુણનો શુદ્ધ પર્યાય છે. આ સૂત્રમાં યોગગુણના કંપનરૂપ અશુદ્ધ પર્યાયને યોગ” કહેલ છે.
આસવનું સ્વરૂપ
સ શીખ્રવ: ૨ાા અર્થ:- [ સા ] તે યોગ [માર્ક્સવ: ] આસ્રવ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com