________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૫ ઉપસંહાર ]
[ ૩૮૫
બીજા પ્રશ્નનું સમાધાનઃ
સબૈ વસ્તુ અસહાય જ, તા નિમિત્ત હૈ કોન; જ્યાં જહાજ પર વાહમેં, તિરે સહજ વિન પૌન. ૬
અર્થ:- પ્રત્યેક વસ્તુ વતંત્રતાથી પોતાની અવસ્થાને (–કાર્યને ) પ્રાપ્ત કરે છે ત્યાં નિમિત્ત કોણ ? જેમ વહાણ પ્રવાહમાં સહેજે જ પવન વિના જ તરે છે.
ભાવાર્થ:- જીવ અને પુદ્ગલ દ્રવ્ય શુદ્ધ કે અશુદ્ધ અવસ્થામાં સ્વતંત્રપણે જ પોતાના પરિણામો કરે છે. અજ્ઞાની જીવ પણ સ્વતંત્રપણે નિમિત્તાધીન પરિણમન કરે છે. કોઈ નિમિત્ત તેને આધીન બનાવી શક્યું નથી. ૬.
ઉપાદાન વિધિ નિર્વચન, હૈ નિમિત્ત ઉપદેશ;
વસે જુ જૈસે દેશમેં; કરે સુ તૈસે ભેષ. ૭
ભાવાર્થ:- ઉપાદાનનું કથન એક ‘યોગ્યતા ’' શબ્દ દ્વારા જ થાય છે. ઉપાદાન પોતાની યોગ્યતાથી અનેક પ્રકારે પરિણમન કરે છે ત્યારે ઉપસ્થિત નિમિત્ત ૫૨ ભિન્ન ભિન્ન કારણપણાનો આરોપ (–ભેષ ) આવે છે. ઉપાદાનની વિધિ નિર્વચન હોવાથી નિમિત્ત દ્વારા આ કાર્ય થયું એમ વ્યવહારથી કહેવાય છે.
વિશેષાર્થ:- ઉપાદાન જ્યારે જેવું કાર્ય કરે છે ત્યારે તેવા કારણપણાનો આરોપ (-ભેષ) નિમિત્ત ઉપ૨ આવે છે. જેમ કોઈ વજકાયવાળો પુરુષ સાતમા નરકને યોગ્ય મલિન ભાવ કરે તો વજકાયશરીર ઉપર નરકના કારણપણાનો આરોપ આવે છે અને જો જીવ મોક્ષને યોગ્ય નિર્મળભાવ કરે તો તે જ નિમિત્ત પર મોક્ષના કારણપણાનો આરોપ આવે છે. આ રીતે ઉપાદાનના કાર્યાનુસાર નિમિત્તનાં કારણપણાનો ભિન્ન ભિન્ન આરોપ કરવામાં આવે છે. એથી એમ સિદ્ધ થાય છે કે નિમિત્તથી કાર્ય થતું નથી પરંતુ કથન થાય છે. માટે ઉપાદાન સાચું કારણ છે અને નિમિત્ત આરોપિત્ત કારણ છે.
૧૩૪ પુદ્દગલ કર્મ, યોગ ઇન્દ્રિયોના ભોગ, ધન, ઘરના માણસો, મકાન ઇત્યાદિ આ જીવને રાગ-દ્વેષ પરિણામનાં પ્રેરક છે?
૧૩૪ નહીં, છએ દ્રવ્ય સર્વ પોતાના સ્વરૂપથી સદા અસહાય (–સ્વતંત્ર) પરિણમન કરે છે, કોઈ દ્રવ્ય કોઈનું પ્રે૨ક કદી નથી તેથી કોઈ પણ પરદ્રવ્ય રાગદ્વેષનું પ્રેરક નથી પરંતુ મિથ્યાત્વ મોહરૂપ મદિરાપાન છે તે જ (અનંતાનુબંધી ) રાગદ્વેષનું કારણ છે.
૧૩૫ પુદ્ગલ કર્મની જોરાવરીથી જીવને રાગદ્વેષ કરવા પડે છે, પુદ્ગલદ્રવ્ય કર્મોનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com