________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અ. ૫ સૂત્ર ૩૫-૩૬ ]
[ ૩૫૫ મોહ કર્મના બંધનું નિમિત્તકારણ થતું નથી, (૩) જો જઘન્ય વિકાર કર્મબંધનું કારણ થાય તો કોઈ જીવ અબંધ થઈ શકે નહિ. IT ૩૪ IT
બંધ ક્યારે થતો નથી તેનું વર્ણન
ગુણસાપે સદશાનામા રૂફા અર્થ - [ગુણસાચે] ગુણોની સમાનતા હોય ત્યારે [સદશાનાન] સમાનજાતિવાળા પરમાણુની સાથે બંધ થતો નથી. જેમ કે-બે ગુણવાળા સ્નિગ્ધ પરમાણુનો બીજા બે ગુણવાળા સ્નિગ્ધ પરમાણુ સાથે બંધ થતો નથી અથવા તેવા સ્નિગ્ધ પરમાણુનો તેટલા જ ગુણવાળા રુક્ષ પરમાણુ સાથે બંધ થતો નથી. “ન(બંધ થતો નથી)' એ શબ્દ આ સૂત્રમાં કહ્યો નથી પરંતુ ઉપરના સૂત્રમાં કહેલ ‘ન' શબ્દ આ સૂત્રમાં પણ લાગુ પડે છે.
ટીકા (૧) સૂત્રમાં “સદશાના' પદથી એ પ્રગટ થાય છે કે ગુણોની વિષમતામાં સમાનજાતિવાળા તથા ભિન્નજાતિવાળા પુદ્ગલોનો બંધ થાય છે.
(૨) બે કે વધારે ગુણ સ્નિગ્ધતા તેમ જ બે કે વધારે ગુણ રુક્ષતા સમાનપણે હોય ત્યારે બંધ થતો નથી, એમ બતાવવા માટે “ગુણસાચે' પદ આ સૂત્રમાં લીધું છે. આ ઉપરા (જાઓ, સર્વાર્થસિદ્ધિ, સંસ્કૃત-હિંદી, અધ્યાય ૫. પાનું-૧૨૩.).
બંધ ક્યારે થાય છે?
ચિંધિવાવિગુણાનાં તારૂદ્દા અર્થ:- [દ્ધિ વિ] બે અધિક ગુણ હોય [ગરિ] એવા પ્રકારના [ TMાનાં 1] ગુણવાળા સાથે જ બંધ થાય છે.
ટીકા જ્યારે એક પરમાણુથી બીજા પરમાણુમાં બે અધિક ગુણ હોય ત્યારે જ બંધ થાય છે. જેમ કે બે ગુણવાળા પરમાણુનો બંધ ચાર ગુણવાળા પરમાણુ સાથે થાય; ત્રણ ગુણવાળા પરમાણુનો પાંચ ગુણવાળા પરમાણુ સાથે બંધ થાય; પરંતુ તેનાથી અધિક કે ઓછા ગુણવાળા પરમાણુ સાથે બંધ થાય નહિ. આ બંધ સ્નિગ્ધનો સ્નિગ્ધ સાથે, રુક્ષનો રુક્ષ સાથે, સ્નિગ્ધનો રુક્ષ સાથે તથા રુક્ષનો સ્નિગ્ધ સાથે પણ થાય છે. || ૩૬ IT
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com