________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૨. સૂત્ર ૬ ]
[ ૧૮૩
વીતરાગભાવ છે તેટલું જ ચારિત્ર છે, આ ચારિત્રને ક્ષાયોપશમિક ચારિત્ર કહેવાય છે. સંયમાસંયમ- આ ભાવને દેશિવરત અથવા વિતાવિરત ચારિત્ર પણ કહેવામાં આવે છે.
મતિજ્ઞાન- વગેરેનું સ્વરૂપ પહેલા અધ્યાયમાં કહેવાઈ ગયું છે ત્યાંથી જોઈ લેવું. [જુઓ, પાનું ૪૦ તથા ૮૬]
દાન-લાભ- વગેરે લબ્ધિનું સ્વરૂપ ઉપરના સૂત્રમાં કહ્યું છે, ત્યાં ક્ષાયિકભાવે તે લબ્ધિ હતી, અહીં તે લબ્ધિ ક્ષાયોપશમિકભાવે છે–એમ સમજવું. ॥ ૫॥ ઔદિયકભાવના એકવીસ ભેદો
गतिकषायलिंगमिथ्यादर्शनाज्ञानासंयतासिद्धलेश्या
श्चतुश्चतुस्त्र्येकैकैकैकषड्भेदाः ।। ६ ।।
અર્થ:- [ તિ] તિર્યંચ, નરક, મનુષ્ય અને દેવ એ ચાર ગતિ, [ષાય ] ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય, [fi] સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એ ત્રણ લિંગ, [મિથ્યાવર્શન ] મિથ્યાદર્શન, [ અજ્ઞાન] અજ્ઞાન, [ અસંયત ] અસંયમ, [ગસિદ્ધ ] અસિદ્ધત્વ તથા [ભેશ્યા: ] કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ અને શુક્લ એ છ લેશ્યા-એમ [ વતુ: વતુ: ત્રિપુ પુ પુ પુ ષજ્ઞેવા:] ચાર + ચાર + ત્રણ + એક + એક + એક + એક અને છ–એ બધા મળીને ઔદિયકભાવના એકવીશ ભેદો છે.
ટીકા
પ્રશ્ન:- ગતિ તો અઘાતિકર્મના ઉદયથી થાય છે, જીવના અનુજીવી ગુણના ઘાતનું તે નિમિત્ત નથી છતાં તેને ઔદિયકભાવમાં કેમ ગણી છે?
,
ઉત્ત૨:- જીવને જે પ્રકારની ગતિનો સંયોગ થાય છે તેમાં તે મમત્વપણું કરે છે, જેમ કે- ‘હું મનુષ્ય, હું ઢોર, હું દેવ, હું નારકી ' એમ તે માને છે. આ રીતે જ્યાં મોહભાવ હોય ત્યાં વર્તમાન ગતિમાં જીવ પોતાપણાની કલ્પના કરે છે તેથી આ અપેક્ષાએ ગતિને ઔદિયકભાવમાં ગણેલ છે.
લેશ્યાઃ- કષાયથી અનુરંજિત યોગને લેશ્યા કહેવામાં આવે છે. લેશ્યા બે પ્રકારની છે–દ્રવ્યલેશ્યા તથા ભાવલેશ્યા, અહીં ભાવલેશ્યાનો વિષય છે. ભાવલેશ્યા છ પ્રકારની છે. લેશ્યા વખતે આત્મામાં તે તે પ્રકારનો રંગ થાય છે' એમ ન સમજવું. પણ જીવના વિકારી કાર્યો ભાવઅપેક્ષાએ છ પ્રકારના થાય છે, તે ભાવમાં વિકારની તારતમ્યતા બતાવવા માટે એ છ પ્રકારો કહ્યા છે. લોકમાં કોઈ માણસ ખરાબ કામ કરે તો ‘કાળું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com