________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. સૂત્ર ૩૩]
[ ૮૭ ૩. કોઈ કહે છે કે “વસ્તુને પ્રદેશ (આકાર) નથી.” “ક્ષેત્ર' સાબિત કરવાથી
તે દલીલ તોડી નાંખી. ૪. કોઈ કહે છે કે “વસ્તુ ક્રિયારહિત છે.” “સ્પર્શન' સાબિત કરવાથી તે દલીલ
તોડી નાખી. [નોંધ:- એક જગ્યાથી બીજી જગ્યાએ જવું તે ક્રિયા છે.] ૫. “વસ્તુનો પ્રલય (સર્વથા નાશ) થાય છે” એમ કોઈ માને છે. “કાલ”
સાબિત કરવાથી તે દલીલ તોડી નાંખી. ૬, “વસ્તુ ક્ષણિક છે' એમ કોઈ માને છે. “અંતર' સાબિત કરવાથી તે
દલીલ તોડી નાખી. ૭. “વસ્તુ કૂટસ્થ છે” એમ કોઈ માને છે. “ભાવ” સાબિત કરવાથી તે
દલીલ તોડી નાંખી. [ જેની હાલત ન બદલાય તેને કૂટસ્થ કહે છે.] ૮. “વસ્તુ સર્વથા એક જ છે અથવા તો વસ્તુ સર્વથા અનેક જ છે” એમ કોઈ માને છે. “અલ્પ-બહુત ' સિદ્ધ કરવાથી તે દલીલ તોડી નાખી.
[ જુઓ, “પ્રશ્નોત્તર-સર્વાર્થસિદ્ધિ” પાનું ૨૭૭-૨૭૮] એ પ્રમાણે શ્રી ઉમાસ્વામી વિરચિત મોક્ષશાસ્ત્રના પ્રથમ અધ્યાયની ગુજરાતી ટીકા પૂરી થઈ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com