________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અ. ૧. સૂત્ર ૧૪]
[૪પ મતિજ્ઞાનની ઉત્પત્તિ સમયે નિમિત્ત
તવિન્દ્રિયાનિન્દ્રિયનિમિત્ત{ી ૨૪ ના અર્થ- [ન્દ્રિયનેન્દ્રિય ] ઇન્દ્રિયો અને મન [ તત્] તે મતિજ્ઞાનમાં [નિમિત્તમ ] નિમિત્ત છે.
ટીકા ઇન્દ્રિય-આત્મા (ઇન્દ્ર=આત્મા) પરમ ઐશ્વર્યરૂપ પ્રવર્તે છે. એમ અનુમાન કરાવનારું શરીરનું ચિહ્ન.
નોઈદ્રિય-મન; જે સૂક્ષ્મ પુદ્ગલસ્કંધ મનોવર્ગણા નામથી ઓળખાય છે તેનું બનેલું શરીરનું અંતરંગનું અંગ, તે આઠ પાંખડીના કમળના આકારે હૃદયસ્થાન પાસે છે.
મતિજ્ઞાન થવામાં ઇન્દ્રિય-મન નિમિત્ત થાય છે એમ આ સૂત્રમાં કહ્યું છે, તે પદ્રવ્યોના થતા જ્ઞાનની અપેક્ષાએ કહ્યું છે એમ સમજવું. અંદર સ્વલક્ષમાં મનઇન્દ્રિય નિમિત્ત નથી. જીવ તેનાથી (મન-ઇન્દ્રિયના અવલંબનથી) અંશે જુદો પડે ત્યારે સ્વતંત્રતત્ત્વનું જ્ઞાન કરી તેમાં ઠરી શકે છે. [ સમયસાર-પ્રવચનો ભાગ ૧ પાનું-પ૧૩]
ઈન્દ્રિયોનો ધર્મ તો એ છે કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણને જાણવામાં નિમિત્ત થાય; આત્મામાં તે નથી તેથી સ્વલક્ષમાં ઇન્દ્રિયો નિમિત્ત નથી. મનનો ધર્મ એ છે કેઅનેક વિકલ્પમાં તે નિમિત્ત થાય, તે વિકલ્પ પણ અહીં (સ્વલક્ષમાં) નથી. જે જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા તથા મનદ્વારા પ્રવર્તતું તે જ જ્ઞાન નિજઅનુભવમાં વર્તે છે; એ રીતે આ મતિજ્ઞાનમાં મન-ઇન્દ્રિય નિમિત્ત નથી. આ જ્ઞાન અતીન્દ્રિય છે. મનનો વિષય મૂર્તિક-અમૂર્તિક પદાર્થો છે તેથી મન સંબંધી પરિણામ સ્વરૂપ વિષે એકાગ્ર થઈ અન્ય ચિંતવનનો નિરોધ કરે છે એ કારણે તેને (ઉપચારથી) મનદ્વારા થયું કહેવામાં આવે છે. [ મોક્ષમાર્ગ પ્રકાશક પાનું ૩૪૫-૩૪૬ ] આવો અનુભવ ચોથા ગુણસ્થાનથી જ થાય છે. [મો. મા. પ્ર. પાનું-૩૪૯]
આ સૂત્રમાં મતિજ્ઞાનને ઇન્દ્રિય-મન નિમિત્ત છે એમ જણાવ્યું છે, પણ મતિજ્ઞાનમાં જણાતા અર્થ (વસ્તુ) અને પ્રકાશ (અજવાળું, આલોક) ને નિમિત્ત કહ્યાં નથી; તેનું કારણ એ છે કે અર્થ અને પ્રકાશ મતિજ્ઞાનમાં નિમિત્ત નથી. તેમને નિમિત્ત માનવાં એ ભૂલ છે. આ વિષય ખાસ સમજવા જેવો હોવાથી તે શ્રી પ્રમેયરત્નમાળા હિંદી પાનું ૫૦ થી પ૫ માંથી અહીં ટૂંકમાં આપવામાં આવે છે:
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com