SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [૯૩ દૃષ્ટિ કરી અનુભવ કરવો તે અનુભૂતિ છે-એવી ખરેખર નિશ્ચય આજ્ઞા માની નથી. તેણે નિશ્ચય ને વ્યવહારની પરીક્ષા કરી નથી. માત્ર વ્યવહારઆજ્ઞા અનુસાર ક્રિયાકાંડ કરે છે. પાંચ મહાવ્રત પાલન કરવાં વગેરે પરિણામ કર્યા છે પણ રાગરહિત આત્મા જ્ઞાનાનંદ છે તે નિશ્ચયની પરીક્ષા કરી નથી. વ્યવહારઆજ્ઞા અનુસાર સાધન કરે છે, પાંચ મહાવ્રત પાલન કરે છે; શરીરના ખંડખંડ થવા છતાં ક્રોધ ન કરે એ રીતે વ્યવહાર આજ્ઞા પાલન કરી, નવમી ત્રૈવેયકે ૩૧ સાગરની સ્થિતિએ ગયો પણ પરીક્ષા કરીને અંતરંગ નિશ્ચયનું ભાવભાસન તેણે કર્યું નહિ. જડની ક્રિયાનો ને રાગનો આત્મા જ્ઞાતા છે તેવી દૃષ્ટિ થઈ નથી તેની વાત કરે છે. જેનો વ્યવહાર સાચો નથી તેના વ્યવહાર ને નિમિત્ત બન્ને ખોટાં છે. અહીં તો મૂળગુણનું પાલન જિનઆજ્ઞા અનુસાર કરે, એક વખત નિર્દોષ આહાર લે, ઉદેશિક આહાર ન લે, તેની વાત છે. મિથ્યાદષ્ટિ મુનિને વ્યવહારશ્રદ્ધા છે; વીતરાગ દેવ સિવાય બીજા ને માને નહિ, પણ પરીક્ષા કરી નથી, એકલી આજ્ઞા માની છે. આજ્ઞા માનવાથી સમ્યગ્દર્શન હોય તો તે મિથ્યાદષ્ટિ કેમ રહે? માટે પ્રયોજનભૂત વાત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વગેરે તથા બંધ મોક્ષ અને તેના કારણોની અવશ્ય પરીક્ષા કરવી જોઈએ. આમ પરીક્ષા કરી આજ્ઞા માને તો આજ્ઞાસમ્યક્ત્વી થાય છે. કેટલાક લોકો કહે છે કે દિગમ્બરમાં જન્મ્યા માટે શ્રાવક થયા, પણ તે વાત ખોટી છે. પ્રથમ પરીક્ષા કરી આજ્ઞા માને તો સમ્યક્ત્વ થાય છે ને પછી શ્રાવક ને મુનિદશા પ્રગટે છે. કુંદકુંદાચાર્યાદિ મુનિઓ ને દીપચંદજી વગેરે એમ જ કહે છે કે પરીક્ષા કરો ને પછી માનો. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા નિશ્ચય સમ્યક્ત્વ નથી; પણ આત્માનું ભાન કરે તો તે શ્રદ્ધા ને વ્યવહાર શ્રદ્ધા કહે છે; માટે પરીક્ષા કરી આજ્ઞા માનતાં જ સમ્યકત્વ અથવા ધર્મધ્યાને હોય છે. લોકમાં પણ કોઈ પ્રકારથી પરીક્ષા કરીને પુરુષની પ્રતીતિ કરે છે. ધર્મમાં પરીક્ષા ન કરે તો પોતે ઠગાય છે. વળી તેં કહ્યું કે જિનવચનમાં સંશય કરવાથી સમ્યક્ત્વમાં શંકા નામનો દોષ થાય છે પણ ‘ન માલુમ આ કેમ હશે ?' એવું માની કોઈ નિર્ણય જ ન કરીએ તો ત્યાં શંકા નામનો દોષ થાય. નિર્ણય માટે વિચાર કરતાં જ સમ્યક્ત્વમાં દોષ લાગે તો અષ્ટસહસ્રીમાં આજ્ઞાપ્રધાની કરતાં પરીક્ષાપ્રધાનીને ઉત્તમ શા માટે કહ્યો ? નિર્ણય ન કરે તો શંકા દોષ લાગે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008266
Book TitleMoksh marg prakashak kirano Part 2
Original Sutra AuthorN/A
AuthorTodarmal Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy