SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૪] મોક્ષમાર્ગ પ્રકાશક હાય જુઓ તો ખરા ! કે આ કુગુરુસર્પને કોઈ છોડે, તેને મૂઢ લોકો દુષ્ટ અને બૂરો કહે છે! सप्पो इक्कं मरणं, कुगुरु अणंताइ देह मरणाइं, तो वर सप्पं गyि, मा कुगुरुसेवणं भट्ट ।। ३७।। અર્થ- સર્પ વડે તો એક જ વખત મરણ થાય છે, પણ આ કુગુરુ અનંત મરણ આપે છે, અનંતવાર જન્મ-મરણ કરાવે છે. માટે હે ભદ્ર! સાપને ગ્રહણ કરવો તો ભલો છે, પરંતુ કુગુરુનું સેવન ભલું નથી. બીજી ગાથાઓ પણ ત્યાં આ શ્રદ્ધાન દઢ કરવા માટે ઘણી કહી છે, તે ગ્રંથમાંથી જોઈ લેવી. સંઘપટ્ટકમાં પણ કહ્યું છે કે क्षुत्क्षामः किल कोपि रंकशिशुकः प्रवृज्य चैत्ये क्वचित् , कृत्वा किंच न पक्षमक्षतकलिः प्राप्तस्तदाचार्यकम्; चित्रं चैत्यगृहे गृहीयति निजे गच्छे कुटुम्बीयति, स्वं शक्रीयति बालिशीयति बुधान् विश्वं बराकीयति। અર્થ- જુઓ! સુધાવડે કૃશ કોઈ રંકનું બાળક, કોઈ ચેત્યાલયાદિમાં દીક્ષા ધારી, પાપરહિત ન હોવા છતાં, કોઈ પક્ષવડે આચાર્યપદને પ્રાપ્ત થયું હવે તે ચૈત્યાલયમાં પોતાના ઘરસમાન પ્રવર્તે છે. પોતાના ગચ્છમાં કુટુંબસમાન પ્રવર્તે છે, પોતાને ઇંદ્રસમાન મહાન માને છે, જ્ઞાનીજનોને બાળકસમાન અજ્ઞાની માને છે, તથા સર્વ ગૃહસ્થોને રંકસમાન માને છે. એ મહાન આશ્ચર્ય છે. વળી “વૈÍતો ન વર્જિતો ન ર ર રીતો” ઇત્યાદિ કાવ્ય છે. જેનાથી જન્મ થયો નથી, વધ્યો નથી, મૂલ્ય આપી દીધો નથી, તથા દેણદાર થયો નથી, ઇત્યાદિ કોઈ પ્રકારનો સંબંધ નથી, છતાં ગૃહસ્થોને બળદની માફક હાંકે છે, તથા જોરાવરીથી દાનાદિ લે છે, પણ હાય ! હાય! આ જગત રાજા વડ રહિત છે, અર્થાત્ કોઈ ન્યાય પૂછવાવાળો નથી. અહીં કોઈ કહે કે “એ તો શ્વેતાંબરરચિત ઉપદેશ છે, તેથી સાક્ષી શામાટે આપો છો?” ઉત્તરઃ- જેમ કોઈ નીચો પુરુષ જેનો નિષેધ કરે, તેનો ઉત્તમ પુરુષને તો સહજ નિષેધ થયો. તેમ જેને વસ્ત્રાદિ ઉપકરણ કહ્યાં છે, તેઓ પણ જેનો નિષેધ કરે, તો દિગંબર ધર્મમાં તો એવી વિપરીતતાનો સહજ જ નિષેધ થયો. વળી દિગંબર ગ્રંથોમાં પણ એ શ્રદ્ધાનનાં પોષક વચનો છે. શ્રી કુંદકુંદાચાર્ય પપાહુડમાં (દર્શનપાહુમાં) પણ કહ્યું છે કે Please inform us of any errors on [email protected]
SR No.008264
Book TitleMoksh marg prakashak
Original Sutra AuthorN/A
AuthorTodarmal Pandit
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2001
Total Pages391
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy