SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [૧૫૭ ઉદય હોય તે મુનિધર્મ અંગીકાર કરે, એટલે તેમને શીતાદિથી પરિણામ વ્યાકુળ થતા નથી, તેથી તેઓ વસ્ત્રાદિક રાખતા નથી. કદાપિ કહેશો કે “જૈનશાસ્ત્રોમાં ચૌદ ઉપકરણ મુનિ રાખે, એમ કહ્યું છે.” એ તમારા જ શાસ્ત્રોમાં કહ્યું છે, દિગંબર જૈનશાસ્ત્રોમાં નહિ, તેમાં તો લંગોટમાત્ર પરિગ્રહ રહેતાં પણ અગિયારમી પ્રતિમાધારી શ્રાવક જ કહ્યો છે. હવે અહીં વિચારો કે બંનેમાં કલ્પિત વચન કોનાં છે? પ્રથમ તો કષાયી હોય તે જ કલ્પિત રચના કરે, અને તે જ નીચાપદમાં ઉચ્ચપણું પ્રગટ કરે. હવે, દિગંબરમાં વસ્ત્રાદિક રાખતાં ધર્મ હોય જ નહિ-એમ તો કહ્યું નથી, પરંતુ ત્યાં શ્રાવકધર્મ કહ્યો છે, ત્યારે શ્વેતાંબરમાં મુનિધર્મ કહ્યો. તેથી અહીં જેણે નીચી ક્રિયા હોવા છતાં પણ ઉચ્ચપદ પ્રગટ કર્યું, તે જ કષાયી છે. એમ કલ્પિત કહેવાથી વસ્ત્રાદિ રાખવા છતાં પણ પોતાને લોક મુનિ માનવા લાગે, તેથી એ માનકષાય પોપ્યો. તથા અન્યને સુગમક્રિયામાં ઉચ્ચપદ પ્રાપ્ત થવું બતાવ્યું, તેથી ઘણા લોક તેમાં જોડાઈ ગયા. જે કલ્પિતમત થયા છે તે એ જ પ્રમાણે થયા છે. માટે કષાયવાન થઈને વસ્ત્રાદિ હોવા છતાં પણ મુનિપણું કહ્યું છે, તે પૂર્વોક્ત યુક્તિવડે વિરુદ્ધ ભાસે છે, તેથી એ કલ્પિતવચન છે; એમ જાણવું. અહીં કહેશો કે-દિગંબરમાં પણ શાસ્ત્ર-પીંછી આદિ મુનિને ઉપકરણ કહે છે, તેમ અમારે પણ ચૌદ ઉપકરણ કહે છે. સમાધાનઃ- જેનાથી ઉપકાર થાય, તેનું નામ ઉપકરણ છે. હવે અહીં શીતાદિક વેદના દૂર કરવાથી જો ઉપકરણ ઠરાવીએ તો સર્વ પરિગ્રહસામગ્રી ઉપકરણ નામ પામે, પણ ધર્મમાં તેનું શું પ્રયોજન છે? એ તો પાપનું કારણ છે. ધર્મમાં તો જે ધર્મને ઉપકારી થાય તેનું જ નામ ઉપકરણ છે. હવે શાસ્ત્ર તો જ્ઞાનનું, પીંછી દયાનું, તથા કમંડલ શૌચનું કારણ છે, તેથી એ તો ધર્મના ઉપકારી થયા, પણ વસ્ત્રાદિક કેવી રીતે ધર્મનાં ઉપકારી થાય ? એ તો કેવળ શરીરના સુખને જ અર્થે ધારીએ છીએ. હા, મુનિ જો શાસ્ત્ર રાખી મહંતતા બતાવે, પીંછીવડે વામીઠું કાઢે; તથા કમંડલવડે જલાદિ પીવે વા મેલ ઉતારે તો એ શાસ્ત્રાદિક પરિગ્રહ જ છે. પણ મુનિ એવાં કાર્ય કરે જ નહિ, માટે ધર્મના સાધનને પરિગ્રહસંજ્ઞા નથી, પણ ભોગના સાધનને પરિગ્રહ-સંજ્ઞા હોય છે, એમ જાણવું. અહીં જ કહેશો કે “કમંડલથી તો શરીરનો મળ જ દૂર કરવામાં આવે છે” પણ મળ દૂર કરવાની ઇચ્છાથી મુનિ કમંડલ રાખતા નથી, પરંતુ શાસ્ત્રવાંચનાદિ કાર્ય કરે, ત્યાં મલલિપ્ત હોય તો તેનો અવિનય થાય અને લોકનિંદ્ય થાય, તેથી એ ધર્મને Please inform us of any errors on [email protected]
SR No.008264
Book TitleMoksh marg prakashak
Original Sutra AuthorN/A
AuthorTodarmal Pandit
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2001
Total Pages391
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy