SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો, જોયું? શેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જ્ઞાનની પર્યાયપણે એ જાણો છે, તે પરની પર્યાય તરીકે જણાણો છે-એમ નથી. .....આહાહા! “શેયકૃત અશુદ્ધતા તેને નથી એટલે? રાગ ને એ વખતે શરીરની ક્રિયા થાય, તે રીતે જ્ઞાન પોતે પરિણમે છે અને જાણે છતાં એ શેયકૃતની અશુદ્ધતા પરાધીનતા જ્ઞાનના પરિણમનને નથી. એ જ્ઞાનનું પરિણમન જે થયું તે જોયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો, “એ જાણનારો જણાયો છે” એમાં જણાય એવી ચીજ જણાઈ નથી. જે જણાય છે એ ચીજ જણાઈ નથી. એ “જાણનારો જણાયો છે” ચેતન સ્વરૂપ જ અલૌકિક છે. ગૂઢ વાતું છે ભાઈ. (ગાથા-૬, પેજનં. ૨૧૯) [ 2 ] જેણે અનંતા સિદ્ધોને પોતાની પર્યાયમાં સ્થાપ્યાં એને શાયકનું જ્ઞાન થયું, તે જ્ઞાન રાગને, શરીરને જાણે તેથી તેને શેયકૃત-પ્રમેયકૃત અશુદ્ધતા ન થઈ, (કેમ કે) એ તો જ્ઞાયકની જ પર્યાય છે તેને એ જાણે છે એ રાગને જાણવા કાળે રાગ આકારે જ્ઞાન થયું, તે જ્ઞાન રાગના કારણે તે આકારે થયું છે એમ નથી. તે કાળે જ્ઞાન જ પોતાના આકારે થવાનો પર્યાયનો સ્વભાવ છે તે રીતે થયું છે. તો તે વખતે રાગ જણાયો નથી, જાણનારાની પર્યાયને તેણે જાણી છે. સમજાણું કાંઈ ? “શેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ પોતે જણાણો છે. શું કીધું ઈ ? જ્ઞાયક પ્રભુ પોતાને જ્ઞાયક તરીકે સમ્યગ્દર્શન-શાનમાં જણાયો, તે વખતે જે જ્ઞાનમાં, રાગાદિ પર શેય જણાય તે કાળે પણ તે રાગને જાણ્યું છે એમ નહીં. રાગસંબંધીનું પોતાનું જ્ઞાન, પોતાથી થયું છે તેને તે જાણે છે. શેયાકારના કાળમાં, પણ પોતાની અવસ્થાને જાણે છે. અને સ્વરૂપ-પ્રકાશનની અવસ્થામાં પણ, બે વાત લીધીને? કીધું? “શેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો, તે “સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ દીવાની જેમ, પોતે જણાણો છે” આહાહા ! સ્વરૂપપ્રકાશનની અવસ્થામાં પણ જેમ શેયાકારના જ્ઞાન કાળે પણ જ્ઞાનની પર્યાય (પણે) જણાયો છે એ પર્યાય એની “જાણનારો જે છે તેની પર્યાય જણાણી છે એમ સ્વરૂપ પ્રકાશનની અપેક્ષાએ પણ,...... (ગાથા-૬, પેઈજ નં. ૨૧૯-૨૨૦) [ ] જ્ઞાયક નામ પણ શેયોને જાણવાથી આપવામાં આવે છે. કેમકે જ્યારે જ્ઞાનની પર્યાયમાં શેયનું પ્રતિબિંબ ઝળકે છે (તેથી જ્ઞાયક કહેવાય છે.) આ વાત પર્યાયની ચાલે છે. તેની પર્યાયમાં રાગ જાણવામાં આવે છે, આ શરીર છે એમ જાણવામાં આવે છે- અર્થાત્ જ્ઞાનની પર્યાયમાં તેની જ ઝલક છે તે જાણવામાં આવે છે. આહા ! શેયનું પ્રતિબિંબ જ્ઞાનની પર્યાયમાં ઝલકે છે; કેમકે તે પર્યાયનું સ્વ-પર પ્રકાશક સામર્થ્ય વિકસિત થયું છે. (એ સ્વચ્છતામાં) રાગ અને શરીરાદિ દેખવામાં જાણવામાં આવે છે.. ત્યારે જ્ઞાનમાં એવો અનુભવ થાય છે કે હું તો જ્ઞાનની પર્યાય છું; તો પણ તેને શેયકૃત અશુદ્ધતા નથી. (ગાથા-૬, પેઈજ નં. ૨૩૯) [ ] “તો પણ તેને શેયકૃત અશુદ્ધતા નથી. કેમકે જેવું શેય જ્ઞાનમાં પ્રતિભાસત થયું; અર્થાત્
SR No.008263
Book TitleMangal gyan darpan Part 1
Original Sutra AuthorN/A
AuthorShobhnaben J Shah
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2005
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy