________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૨] બૌદ્ધ (૧) : હશે, જે થયું તે થઈ ગયું! આ સમાચાર
ચેલણારાણીને તરત જણાવી દેજો, એટલે એને પણ ખબર પડે કે બૌદ્ધગુરુઓનું અપમાન કરવું તે સહેલી
વાત નથી ! શ્રેણીક: હા મહારાજ ! હું ત્યાં જ જાઉં છું.
[ પડદો પડે છે]
[ પ્રવેશ ચોથો] અભયકુમાર સાથે ધર્મચર્ચા અને ચેલણાની હૃદયવ્યથા
[ચલણારાણી ચિંતામાં બેઠા છે, ત્યાં અભયકુમાર આવે છે.] અભયઃ કેમ માતાજી! શું ચિંતામાં છો? ચેલણા: ભાઈ ! આજ ત્રણ ત્રણ દિવસથી મને ચેન નથી પડતું...
મારા હૃદયમાં એવા ભણકારા થાય છે કે જાણે કયાંક જૈનધર્મ ઉપર મહા સંકટ આવ્યું હોય. ને મારે ત્યાં જવાની જરૂર પડી હોય! ભાઈ ! મારા હૃદયમાં કંઈક
ઉથલપાથલ થાય છે. અભય: માતા! ચિંતા ન કરો. જૈનધર્મના પ્રતાપે સર્વ મંગળ
થશે. જ્યાં આપના જેવા ધર્મવત્સલ સમકિતી બિરાજે છે ત્યાં હવે સર્વ સંકટ ટળીને જરૂર ધર્મની મહાપ્રભાવના થશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com