________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૨૬) ૧૫ પ્ર. પ્રત્યેક દ્રવ્યમાં કયા કયા વિશેષ ગુણ છે?
ઉ. જીવ દ્રવ્યમાં ચૈતન્ય (–દર્શન-જ્ઞાન), સમ્યકત્વ, ચારિત્ર, સુખ * ક્રિયાવતી શક્તિ વગેરે. પુદ્ગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ક્રિયાવતી શક્તિ વગેરે. ધર્મ. દ્રવ્યમાં ગતિતુત્વ વગેરે. અધર્મ દ્રવ્યમાં સ્થિતિ.
* ક્રિયાવતી શક્તિ-જીવ અને પુલમાં પોતપોતાની ક્રિયાવતી શક્તિ નામનો ગુણ નિત્ય છે અને પોતપોતાની યોગ્યતાનુસાર કોઈ વાર ગતિ-ક્ષેત્રાન્તરરૂપ પર્યાય થાય છે, કોઈ વાર સ્થિર રહેવારૂપ પર્યાય થાય છે. કોઈ અન્ય દ્રવ્ય (જીવ કે પુદ્ગલ ), એકબીજાને ગમન કે સ્થિર કરાવી શકતા નથી પણ તે બન્ને દ્રવ્ય પોતપોતાની ક્રિયાવતી શક્તિની તે સમયની યોગ્યતા પ્રમાણે પોતાથી ગમન કરે છે કે સ્થિર થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com