SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૫૭ ન હોય એને ઉત્પન્ન કોણ કરે ? આહા..હા...! Logiથી – ન્યાયથી એને સમજવું પડશે કે નહિ ? આંધળી દોડે એમને એમ ચાલ્યો જાય ! આહા..હા...! કહે છે, અનાદિનિધન (છે). છે ? કેવું છે ?” સહજ (છે). કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? કોઈ મારો રક્ષક છે કે નહીં’ એ (ભાવ) એને છે નહિ. આહા..હા...! દુનિયામાં તો અરે...! મારો કોઈ રક્ષક, કોઈ ધણી છે કે નહિ ?) દુકાળ પડે તો ગરીબ હોય તો વાણિયાને, શેઠિયાને એમ કહે, શેઠિયાઓ ! આ કાળ અમને પા૨) ઉતારો. અમારી પાસે સાધન નથી, તમારો આધાર છે. એમ કહે છે ને આ બધા ? કણબી હોય (એમાં) આવે, આ કાળ અમને ઉતારો ! ઈ એના રક્ષક થયા, ધૂળના ! ધર્મીને કોઈ રક્ષક નથી તેમ કોઈ ભક્ષક નથી. એ શાશ્વત વસ્તુનો રાખનાર કોઈ નથી અને શાશ્વત વસ્તુનો કોઈ નાશ કરનાર નથી. આહા..હા...! એ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અસ્તિરૂપે બિરાજમાન છે. એટલે શું ? દ્રવ્ય એટલે વસ્તુ. ક્ષેત્ર એટલે એની પહોળાઈ – અસંખ્યપ્રદેશ છે ઈ. કાળ એટલે વર્તમાન દશા, ભાવ એટલે ત્રિકાળી ગુણ શક્તિ. એ સ્વથી છે, પરથી નથી. પરથી નથી એટલે ૫૨ હોય તો આ છે એમ નથી. ૫૨ મારું રક્ષણ કરે અને ૫૨ મદદ કરે, મને કોઈ સહાય કરે તો હું રહી શકું એવી એ ચીજ નથી. ભિન્ન છે. મૂંઢે (એકત્વ) માન્યું છે. આ તો માટી, ધૂળ છે. ઈ તો એની એને ખબર નથી કે, હું માટી છું. દાખલો નહોતો આપ્યો ? કાલે આપ્યો હતો ને ? ચૂંક વાગે, ચૂંક ! કાટવાળી ખીલી (વાગે) તો એમ કહે કે, મારી માટી પાકણી છે, પાણી અડવા દેશો નહિ. એમ ત્યાં કહે કે, માટી પાકણી છે. વળી પાછો માટીનો (સ્વામી) પોતે થાય ! માટીનો માટી થાય ધણી ! આ..હા..હા...! શું છે આ તે બધું ? ભોગળ બધું કઈ રીતે વર્તે છે ? અહીં કહે છે, મારો કોઈ રક્ષક છે કે નહિ ? એવા ભયથી રહિત ધર્માત્મા છે. સમ્યષ્ટિ – ધર્મી એને કહીએ કે, જેને શાશ્વત વસ્તુની દૃષ્ટિ થઈ છે અને અનુભવ થયો છે. એને કોઈ મને રાખે તો રહું, રક્ષક હોય તો રહું' એવું એને હોતું નથી. આહા..હા...! તેમ કોઈ મારું ભક્ષક નથી. રક્ષક નથી તેમ ભક્ષક પણ નથી. ત્રણકાળમાં કોઈ મારો નાશ કરી શકે (એવું છે નહિ). આ...હા...હા..હા...! સચ્ચિદાનંદ પ્રભુ ! શાશ્વત વસ્તુ નિત્ય (છે) એને રાખે કોણ ? એને ભક્ષે કોણ ? નાશ કરે કોણ ? આ..હા..હા...! હું મારાથી – ત્રિકાળી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી મારી હયાતી મારે લઈને, મારાથી છે. ૫૨ની (મારી) અંદર નાસ્તિ છે ત્યાં ઈ પર મારી રક્ષા કરે તો (હું) રહું (એમ ક્યાંથી આવ્યું ?) શું કીધું ઈં ? ભગવાનઆત્મામાં વસ્તુમાં શ૨ી૨, વાણી, મન, પૈસા-લક્ષ્મીની નાસ્તિ છે. એમાં નથી. તો જેમાં એ નથી ઈ વસ્તુ એની રક્ષા કરે ? ઈ તો રક્ષિત, સદાય રક્ષિત જ છે. આહા..હા...! સત્તા – હોવાવાળી ચીજ શાશ્વત નિત્ય (છે) પણ એની નજરમાં ન આવે. આ..હા...! — ૭૩ —
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy