________________
- ૫૫
કળશ-૧૫૬ ચૈતન્યની જાતને જાણવા પ્રયત્ન કર્યો નહિ. જિનેન્દ્રદેવ એમ કહે છે. આહા..હા...!
વેદનમાં એને અનાદિથી તો શરીરનું વેદન (નથી), આ તો માટી, ધૂળ છે. આ તો માટી છે. એનું કોઈને વેદન, ભોગવટો – એનો અનુભવ હોય નહિ. એમ દાળ, ભાત, શાક કે મેસુબનો અનુભવ ન હોય. કેમકે એ તો જડ ચીજ છે. ફક્ત તેના તરફ લક્ષ કરીને આ ઠીક છે' એવો રાગ ઉત્પન્ન કરે, એ રાગના ઝેરને ઈ અનુભવે છે. આહાહા....!
જ્ઞાનીને શું હોય ? (એ) હવે કહે છે. આહાહા...! અજ્ઞાનીને એ પુણ્ય અને પાપના રાગના ભાવ ઝેર છે તેનું વેદન છે). અમૃતનો સાગર ભગવાન આત્મા અતીન્દ્રિય અનાકુળ આનંદની પાટ આત્મા છે)આહા...હા...! એને ભૂલી અને શુભ-અશુભ ભાવનો વિકાર જે ખરેખર પુદ્ગલસ્વરૂપે છે તેને વેદે છે). ઈ આત્માનું સ્વરૂપ છે જ નહિ. આહા..હા...!
આની ટીકામાં તો એમ લખ્યું છે, ભાઈ ! પગલાકાર રાગનું વેદન જ્ઞાનીને નથી. આ...હા...હા...! ઝીણી વાતું, બાપુ ! જિનેન્દ્ર વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે. સંપ્રદાયમાં તો દયા પાળો, વ્રત કરો અને અપવાસ કરો (ઈ ચાલે છે). ઈ તો બધી રાગની ક્રિયાઓ અને અભિમાન – મિથ્યાત્વ છે. આહા..હા...!
અહીંયાં તો કહે છે કે, જ્યારે એને એ અજ્ઞાનના વેદનની ખબર પડે (કે), અરે ! આ રાગ (ઝેર છે) અને મારી ચીજ તો રાગ વિનાની છે. કેમકે રાગ તો નીકળી જાય છે, એનું (મૂળ) સ્વરૂપ નથી. સ્વરૂપ હોય એ નીકળે નહિ. નીકળે તે એની જાત નહિ – સ્વરૂપ નહિ. આહા...હા...! ચાહે તો એ દયા, દાન, વ્રતના ભાવ હોય તોપણ રાગ છે અને હિંસા, જૂઠું, ચોરી, રળવું, આ ભોગ, વાસના, દુકાનમાં ધંધો કરવામાં) ધ્યાન રાખવું એ બધો પાપભાવ, વાસના છે. આહાહા! અહીં તો આવી વાતું છે, બાપુ ! આહા..હા...!
એ પાપવાસના અને પુણ્યવાસના બન્ને ઝેરવાસના છે. ઝીણી વાત છે, પ્રભુ ! જિનેન્દ્ર ત્રણલોકના નાથ, જિનેન્દ્ર જે ધર્મ કહ્યો એ કોઈ અલૌકિક છે !! સંપ્રદાયમાં તો એ વાત ચાલતી જ નથી. આહા...હા...! ભાઈ ! આહા...હા...! આવું છે.
અહીં કહે છે, “સ સ્વયં સતતં સદ્દા જ્ઞાને વિતિ (સ:) નામ “સમ્યફદૃષ્ટિ જીવ...” પેલી મિથ્યાત્વની વાત કરી. આહાહા...! હવે, સમ્યગ્દષ્ટિ ધર્મી, સર્વજ્ઞ પરમાત્મા જિનેન્દ્રદેવ એમ કહે કે, જેને એ પુણ્ય અને પાપનો રાગ વિકાર – ઝેરતથી જુદા એવા) આત્મા આનંદસ્વરૂપનું ભાન થયું છે. આહા..હા...! (કે) હું એક આત્મા છું અને એ આત્મા છે તે અનાકુળ આનંદ અને શાંતિનો સાગર છે. આહાહા...! અને પુણ્ય અને પાપના ભાવ ઝેર છે એનાથી ભિન્ન પાડીને ભગવાનઆત્માનો સમ્યકુ (અર્થાતુ) જેવી એ ચીજ છે આનંદ, શાંતિ અને એકલા જ્ઞાન(સ્વરૂપ છે) એવો જેને અંતર અનુભવ થઈને સમ્યગ્દર્શન, સમ્યકુ નામ સત્ય પ્રતીતિનું દર્શન થયું છે. આ...હા.હા...! શરતું ઘણી, જવાબદારી ઘણી ! આહા..હા....! બાકી તો બધા ઢોરના જેવા અવતાર છે. પછી અબજોપતિ હોય અને ધૂળપતિ હોય તોપણ