SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧પપ પ૧ (એટલે) આખું શરીર (સોજી) ગયું અને પગમાં ઇયળું ગરી ગઈ, આવડી મોટી ! આહા...હા...! ચાલતાં... એમાં વળી બારમે દિ'એ એક ઝૂંપડી મળી ગઈ. અગિયાર દિ તો રાત-દિવસ.... આ..હાહા...! એ ઝૂંપડી મળી અને ત્યાં ઊભી રહી. (એ) ઝૂંપડી શિકારીઓની હતી. શિકારીઓ જંગલમાં શિકાર કરવા આવતા (એટલે) એ ઝૂંપડી કરેલી. એમાં એ તે દિ આવ્યા. મહિને-બે મહિને આવતા. (એ) તાકડે આવ્યા અને એને જોઈ, આખું શરીર સડીને બગડી ગયેલું. ચારે કોર બધા (કરડ્યા) ને ? અને આટલી આટલી (મોટી) વનસ્પતિ એમાં પગ મૂકે તો હેઠે જીવડાઓ બટકા ભરે, પગમાં ગરી જાય. આહા...હા...! ઈ બાઈને કહે છે, અરે...! તું અહીં ક્યાંથી ? તો છોડી કહે છે), પ્લેન પડ્યું અને બધાં મરી ગયાં. હું અગિયાર દિથી જંગલમાં છું. કોઈ(નો) ક્યાંય પત્તો નથી. એને બિચારીને ભગાડીમાં) નાખીને દવાખાને લઈ ગયા. ઈ વેદના કેટલી હશે? અને તે પણ (સાવ) નિરાધાર ! આહા...હા....! ત્યાં ધર્મી જીવ હોય તો એને એનો ભય હોય નહિ (એમ) (એક ઠેકાણે) આવે છે ને ? પેલી “લક્ષ્મણની શું કહેવાય)? “વિશલ્યા” બાઈ ! એ વિશલ્યા પૂર્વે ચક્રવર્તીની દીકરી હતી અને કોઈએ ઉપાડીને જંગલમાં મૂકી દીધી. હવે જંગલમાં મોટો અજગર આવ્યો. એ અજગરે એને પકડી, મોઢામાં નાખી. થોડું આટલું (શરીર) બહાર રહ્યું અને બાકી બધું (અજગરના મોઢામાં). એમાં એનો બાપ ચક્રવર્તી આવ્યો. ગોતતા.... ગોતતા... ગોતતા... ગોતતા (આવ્યો). એણે કહ્યું કે, અજગરને મારી નાખ્યું. ત્યારે વિશલ્યા” કહે છે), બાપુ ! તમે મારશો નહિ. મને ત્યાગ છે, (હું) બહાર નીકળે તો મને આહારપાણીનો ત્યાગ છે. દેહ છૂટે છૂટક્યો છે. અડધી અંદર ગળી ગયેલી અને અડધું (શરીર) બહાર (રહ્યું). (ત્યાં) એનો બાપ આવ્યો. આહા...હા...! એ મરીને “વિશલ્યા” થઈ. બાઈ, રાજાની દીકરી ! એના શરીરમાં એવી સ્થિતિ હતી કે) એની હવા જેને લાગે (તો) રોગી હોય (અને) ઘા વાગ્યા હોય ઈ મટી જાય. આહાહા...! લક્ષ્મણને જ્યારે “રાવણે માર્યો, બાણ માર્યું તો) લક્ષ્મણ અસાધ્ય થઈ ગયો. વાસુદેવ જંગલમાં ! આ..હા...હા...! હવે શું કરવું ? “રામચંદ્રજી સાથે હતા). મહાપુરુષ એ ભવે મોક્ષ જનારા ! “સીતાજીને “રાવણ” લઈ ગયો, “લક્ષ્મણ અહીં પડ્યો... આ..હા...હા...! અમે ત્યાં પાલેજમાં ગાતા. અઢાર-ઓગણીસ વર્ષની ઉંમરની વાત છે. સીત્તેર વર્ષ પહેલાંની ! રામચંદ્રજી લક્ષ્મણને કહેતા. (લક્ષ્મણ') અસાધ્ય (થઈને પડ્યા છે). “આવ્યા હતા ત્યારે ત્રણ જણા ને જાશું એકાએક... એ માતાજી ખબરું પૂછશે તેને શા શા ઉત્તર દઈશ? “લક્ષ્મણ', એ જાગને હો.. જી... બંધવ બોલ દે એકવાર જી...” હે બંધવ ! એકવાર બોલ. “સીતા” ને) રાવણ’ લઈ ગયો, તું અહીં પડ્યો. માતા મને પૂછશે (તો) હું શું કહીશ ? અમે તે 'દી ત્યાં (આ) ગાતા. આ પજોસણના અપવાસ-બપવાસ કર્યા હોય ને ? આ તો સીત્તેર વર્ષ
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy