SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ૨ કલશામૃત ભાગ-૫ રાગને પરદ્રવ્ય માને છે. જે રાગને પોતાનો માને છે તે કાય૨, નપુંસક, હીજડા છે. હીજડા સમજાય છે ? નપુંસક હોય છે ને ? પાવૈયા નહિ ? પ્રભુ પાઠમાં એમ કહે છે. આત્મામાં વીર્ય ગુણ છે. આત્મામાં એક વીર્ય – આત્મબળ નામનો ગુણ છે. એ ૪૭ શક્તિમાં આવી ગયું છે. એનું સ્વરૂપ શું ? એ તો શુદ્ધ ચૈતન્યની રચના કરે તે વીર્ય (છે). પોતાના શુદ્ધ સ્વરૂપમાં એક વીર્ય બળ નામનો ગુણ છે એ શુદ્ધ રચના (કરે), પવિત્ર પરિણામની રચના કરે તે વીર્ય છે. જે પુણ્ય પરિણામની રચના કરે તે વીર્ય નપુંસક છે. જેમ નપુંસકને વીર્ય હોતું નથી (તો) પુત્ર થતા નથી. એમ પુણ્યના પરિણામમાં ધર્મની પ્રજા ઉત્પન્ન થતી નથી. આહા..હા...! વાત એવી છે. અહીં તો કરોડપતિની કંઈ કિંમત ન મળે. અહીંયાં તો આત્માની કિંમત છે. આહા....હા....! આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન, તેનો જેને અંતર્મુખ થઈને દૃષ્ટિમાં સ્વીકાર થયો, તેનો આનંદનો સ્વાદ આવ્યો, તે લક્ષણથી રાગ લક્ષણ મારી ચીજ નથી. એ તો ૫દ્રવ્ય છે. આહા..હા...! એવું ભેદજ્ઞાન – રાગથી ભગવાન ભિન્ન છે એવું ભેદજ્ઞાન (કરવું તે સિદ્ધિનો ઉપાય છે). મેવિજ્ઞાનત: સિદ્ધા: સિદ્ધા યેલિ વન” એ સંવર અધિકા૨’માં છે. અત્યાર સુધી જે સિદ્ધ પરમાત્મા થાય, સિદ્ધ – ણમો લોએ સવ્વ સિદ્ધાણં, એ ભેદજ્ઞાનથી સિદ્ધ થયા છે. રાગથી ભિન્ન કરીને પોતાની ચીજનો અનુભવ કરીને સિદ્ધ થયા છે. ‘મેવિજ્ઞાનત: સિદ્ધા: સિદ્ધા યે લિ વન” જે કોઈ મુક્તિને પામ્યા છે એ બધા પુણ્ય – દયા, દાન, રાગથી ભિન્ન થઈને પામ્યા છે. અને જે કોઈ સંસારમાં રખડે છે (એ) અસ્વૈવામાવતો વઠ્ઠા' રાગથી ભિન્નતા કરતા નથી અને રાગને પોતાનો માને છે અને રાગથી મને લાભ થાય છે, એ બંધાય છે, મિથ્યાત્વથી બંધન થાય છે અને ચાર ગતિમાં રખડે છે. ‘અÊવામાવતો વઠ્ઠા વઠ્ઠા યે વિત્ત વેચન ।।' કોઈપણ પ્રાણી સંસારમાં બંધનમાં પડે છે (તે) ભેદજ્ઞાનના અભાવથી બંધનમાં પડે છે. સમજાણું કાંઈ ? આહા..હા...! આકરી વાત લાગે છે ને તેથી લોકો ખળભળાટ કરે છે. કરે, વસ્તુ તો આ છે, માર્ગ તો આ છે. જિનદેવનો માર્ગ આવો છે. આ છોડી આજે બોલી હતી. પાંચ વર્ષની છોડી છે ને ? ઘટ ઘટ અંત૨ જિન વસે, ઘટ ઘટ અંત૨ જૈન’ પાંચ વર્ષની નાની છોડી છે એને આ બધા શબ્દો યાદ છે. મોઢે કર્યું છે. જાગતો જીવ ઊભો છે ને !' આ ગુજરાતી શબ્દ છે. જાગતો નામ ચૈતન્ય સ્વરૂપ, ઉભો નામ ધ્રુવ છે ને ! અંતર ચૈતન્ય સત્તા શાશ્વત ધ્રુવ છે ને ! એ ક્યાં જાય ? એ ક્યાં રાગમાં આવે છે ? એ પર્યાયમાં આવે છે ? એ તો ધ્રુવ ચીજ છે. અને ઉભો છે નામ ધ્રુવ છે. અને તેની દૃષ્ટિ કરવાથી જરૂર પ્રાપ્ત થાય છે. રાગથી અને પુણ્યથી ને વ્યવહા૨થી પ્રાપ્ત નથી થતો. આહા..હા...! સમજાણું કાંઈ ? એ છોડી આજે બોલી હતી. બપોરે આવી હતી. ઘટ ઘટ અંત૨ જિન વસે એની માં શીખવતી હશે. પાંચ વર્ષની છોડી છે. ઘટ
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy